કોલસા ભ્રષ્ટાચાર મામલામાં ગુનેગાર સાબિત થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે સહિત 3 ગુનેગારોને કોર્ટે 3 વર્ષની સજા સંભળાવી છે. ગત સુનવણી દરમિયાન આરોપીઓને ગુનેગાર ઠરાવ્યા હતા. પરંતુ સજા પર ફૈસલો આજે સંભળાવ્યો છે. ગત સુનવણી દરમિયાન ગુનેગારોને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા માટે નિર્દેશ અપાયા હતા.
બ્રહ્મડિહા કોલસા ખાણની ફાળવણીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા ગુનેગાર સાબિત થઈ ચૂક્યા છે
ગુનેગારોનો પહેલા કોઈ ગુનાહિત રિકોર્ડ ન હોવાથી સજામાં નરમી દાખવવા કરી અપીલ
ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલિપ રે પર વર્ષ 1999માં ઝારખંડના ગિરિડીહ સ્થિત બ્રહ્મડિહા કોલસા ખાણની ફાળવણીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. જેના પર દિલીપ રેની સાથે 3 ગુનેગારો પર આરોપ સાબિત થાય છે. 6 ઓક્ટોબરે સીબીઆઈની વિશેષ કોર્ટમાં તમામ આરોપીઓની ગુનેગાર માન્યા અને સજાનો નિર્ણય નેક્સ સુનવણી સુધી ટાળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈ તરફતી અભિયુક્તોના આજીવન કેસની સજા સંભળાવવાની માંગ કરી હતી. જો કે દોષિઓની વકીલે પહેલા કોઈ ગુનાહિત રિકોર્ડ ન હોવાનો હવાલો આપતા સજામાં નરમી દાખવવા નિવેદન કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે આ મામલામાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા ગુનેગાર સાબિત થઈ ચૂક્યા છે. તેમને 3 વર્ષની જેલની સજાની સાથે 25 લાખનો દંડ લગાવ્યો હતો. એજ રીતે પૂર્વ ખાણ સચિવ એચસી ગુપ્તાને પણ 3 વર્ષની જેલની સજા અને 1 લાખનો દંડ ફટકાવ્યો હતો.