ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની વચ્ચે ટીમ ઈન્ડીયા પર કોરોનાની માર પડી છે. કોચ રવિ શાસ્ત્રી પોઝિટીવ થયાની બીસીસીઆઈએ જાહેરાત કરી છે.
ટીમ ઈન્ડીયા પર કોરોનાની માર
કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ
બોલિંગ કોચ ભરત અરુણ અને બે સભ્યોને આઈસોલેટ કરાયા
BCCI એ ટ્વિટ કરીને આપી માહિતી
ભારતીય ક્રિકેટ ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડમાં છે. શ્રેણીની ત્રણ મેચ રમાઈ છે. ચોથી ટેસ્ટ લંડનના ધ ઓવલ ખાતે રમાઈ રહી છે. આજે ટેસ્ટ મેચનો ચોથો દિવસ છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોના પોઝિટીવ થયા બાદ રવિ શાસ્ત્રી આઈસોલેટ થયા છે.
બોલિંગ કોચ ભરત અરુણ અને સ્ટાફના બે સભ્યો આઈસોલેટ
શાસ્ત્રી ઉપરાંત બોલિંગ કોચ ભરત અરુણ અને સપોર્ટ સ્ટાફના અન્ય બે સભ્યોને પણ આઈસોલેટ કરાયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે રવિવારે આ ટ્વીટ કરીને આ જાણકારી આપી.
UPDATE - Four members of Team India Support Staff to remain in isolation.
મેચનું શું થશે
બીસીસીઆઇએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, "બીસીસીઆઇની મેડિકલ ટીમમાં રવિ શાસ્ત્રી, ભારત અરુણ, આર શ્રીધર અને નીતિન પટેલને આઇસોલેટ કરાયા છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે શાસ્ત્રીએ ગઈકાલે સાંજે ફ્લો ટેસ્ટ પોઝિટિવ કર્યો હતો. આ લોકોએ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો છે અને તે ટીમ હોટલમાં જ રહેશે અને મેડિકલ ટીમની પુષ્ટિ વિના ટીમ સાથે પ્રવાસ કરશે નહીં.'બીસીસીઆઈએ વધુમાં તેના નિવેદનમાં કહ્યું કે, 'ટીમના બાકીના સભ્યોનો પણ ફ્લો ટેસ્ટ કરાયો હતો. આ બધાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. નેગેટિવ થનાર સભ્યોને ઓવલમાં ચોથી ટેસ્ટના ચોથા દિવસે મેદાન પર ઉતરવાની મંજૂરી અપાઈ છે.
મેચની સ્થિતિ શું છે
મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે સ્ટમ્પ્સ પર 3 વિકેટના નુકસાને 270 રન બનાવ્યા હતા. તેની સરસાઈ 171 રન છે. વિરાટ કોહલી 22 રને અને રવિન્દ્ર જાડેજા 9 રને અણનમ છે. ઓપનર રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 127 રનની ઈનિંગ રમી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની 8મી સદી છે. ભારત બહાર આ તેમની પ્રથમ સદી છે. આ ઉપરાંત કેએલ રાહુલે 46 અને ચેતેશ્વર પુજારાએ 61 રન ફટકાર્યા હતા. પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરોબરી પર છે. શ્રેણીની પ્રથમ મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ હતી, જે ડ્રો રહી હતી. લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ ટીમ ઇન્ડિયાએ જીતી હતી.