આજે સાંજે ગુજરાતમાં કોરોનાની વેક્સિન આવી પહોંચશે આવો જાણીએ કેવી છે તેની તૈયારીઓ અને કેટલા વાગે વેક્સિન આવશે.
આજે વેક્સિન આવી પહોંચશે ગુજરાત
યુદ્ધના ધોરણે વેક્સિન પહોંચાડવાની તૈયારીઓ શરૂ
સાંજે 5 વાગે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિન આવશે
કોરોનાની વેક્સિનની ગુજરાતમાં એન્ટ્રી થશે. સાંજે 5 વાગે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિન આવશે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરમાં સ્ટોરેજમાં વેક્સિન રખાશે. ગ્રીનકોરીડર સાથે વેક્સિનને ગાંધીનગર લઈ જવામાં આવશે. આખા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
યુદ્ધના ધોરણે વેક્સિન પહોંચાડવાની તૈયારીઓ
દેશભરમાં વેક્સિન પહોંચાડવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કૂલ એક્સ કોલ્ડ ચેઇન ટ્રાન્સપોર્ટે વેક્સિન પહોંચાડવાની જવાબદારી લીધી છે. તેમણે જણાવ્યું હતુ કે, અમે વેક્સિન પહોંચાડવા માટે સંપૂર્ણ તૈયાર છીએ. દેશના કોઇપણ ખુણે વેક્સિન પહોંચાડવા ટ્રક તૈયાર અને 50થી વધારે પોઇન્ટ પર વેક્સિન પહોંચાડાશે. અમારા ટ્રકમાં GPS લોકેશન સિસ્ટમ લગાવાઇ છે.
સુરતમાં પૂરજોશમાં તૈયારીઓ
સુરતમાં વેક્સિનેશનને લઈને પૂરજોશમાં તૈયારી શરૂ થઈ ગઈ છે. આવતીકાલે કોરોના વેક્સિનનો જથ્થો સુરત પહોચી શકે છે
16 જાન્યુઆરીથી 22 સ્થળો ઉપર વેક્સિનેશન
10 દિવસમાં 33,336 કર્મીઓને અપાશે વેક્સિન
વેસુ આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ અંગે યોજાઈ બેઠક
અડાજણ મુખ્ય હેલ્થ સેન્ટર ખાતે મુકાશે રસીનો જથ્થો
16 તારીખના વેક્સિનેશન માટે તંત્ર તૈયાર
16 તારીખે કરવાની કામગીરી અંગે બતાવાયું પ્રેઝન્ટેશન
રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયું પ્રેઝન્ટેશન
17000 હેલ્થ કેર વર્કર્સને પહેલા અપાશે વેક્સિન
વડોદરામાં વેક્સિનેશનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વેકસિન સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુસનની તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે.
34 અર્બન હેલ્થ સેન્ટર ખાતે ILR રેફ્રિજરેટર મુકાયા
2 થી 8 ડીગ્રી રહી શકે તેવા આઇસ લાઈન રેફ્રિજરેટર
છાણી ખાતેના સેન્ટ્રલ સ્ટોરેજ ખાતે સૌ પ્રથમ વેકસીન પહોંચશે
34 અર્બન હેલ્થ સેન્ટર ખાતે સુરક્ષા સાથે મોકલાશે વેક્સિન
16 તારીખે પહેલા હેલ્થ કેર વર્કર્સ ને અપાશે કોવિડ વેક્સિન
17000 હેલ્થ કેર વર્કર્સને પહેલા અપાશે વેક્સિન
જિલ્લાના 50 PHC સેન્ટર ખાતે તમામ વ્યવસ્થા ઉભી કરાઈ
રવિવારે કોરોનાના 671 નવા કેસ ગુજરાતમાં નોંધાયા
પ્રેસનોટ અનુસાર, રવિવારે કોરોનાના 671 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 251,944 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.17 ટકા થયો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 806 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,39,771દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 7829 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં હવે માત્ર 7829 એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 806 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,39,771દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 7829 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં 90 ટકા પથારી ખાલી
રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે કરવામાં આવી રહેલ અથાગ પ્રયાસના ભાગરૂપે રાજ્યમાં 55000 પથારીઓ પૈકીની 90 ટકા પથારીઓ ખાલી છે.આ વાત દર્શાવે છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે.