અમદાવાદમાં કોવેક્સિનના ચાલી રહેલા પરીક્ષણ દરમિયાન સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ચાલી રહેલા પરીક્ષણમાં રસી આપ્યા પછી કોઈને કોરોના નથી થયો. એક હજાર લોકો પર પહેલા ડોઝના પરીક્ષણ પછી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં અમદાવાદના એક હજાર લોકોને બીજો ડોઝ અપાઈ રહ્યોં છે
અમદાવાદથી ભારત માટે મોટા સમાચાર
રસીના માનવ પરિક્ષણમાં ગુજરાત પણ ભાગીદાર
1000 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો
શું કહે છે ડોક્ટર?
25 નવેમ્બરથી ડોઝ આપવાની શરૂઆત થઈ હતી જેમાંથી કોઈને પણ કોરોના નથી થયો. 30 દિવસમાં એક હજાર લોકોમાંથી કોઈને પણ કોરોના સંબંધિત લક્ષણો ન દેખાતા ડોક્ટર ખુશ છે આ મામલે ડોક્ટર પારૂલ ભટ્ટે VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, તમામ વોલન્ટિયર્સને બીજો ડોઝ 28મી જાન્યુઆરી સુધીમાં અપાઈ જશે. 28મી જાન્યુઆરી પછી 2 સપ્તાહમાં તમામ લોકોનું મેડિકલ ચેક-અપ થશે. 25મી નવેમ્બરથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પરીક્ષણ ચાલૂ કરવામાં આવ્યું છે.
ડૉ.પારૂલ ભટ્ટ વધુમાં જણાવ્યું હતુ કે, કોવેક્સિનને અંતિમ મંજૂરી માટે હજુ 1 મહિનાનો સમય લાગી શકે છે. ભારત બાયોટેક અને ભારત સરકારની સંસ્થા ICMRએ આ કોવેક્સિન બનાવી છે. વેક્સિનની સફળતા માટે આપણે અડધા રસ્તે પહોંચ્યા છીએ અને આનંદની વાત એ છે કે, અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને આડઅસર નહી અને કોરાના પણ ન થયો.
કોવેક્સીન ભારતમાં બની રહેલી કોરોનાની રસીનું નામ છે. ભારતનું સૌથી મોટું પરિક્ષણ કોવેક્સીન માટે શરૂ થયું છે. ભારત બાયોટેક નામની કંપની આ રસી બનાવી રહી છે. કોવેક્સીનનું પહેલા અને બીજા તબક્કાનું સફળ પરિક્ષણ પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કામાં રસીનું માનવ પરિક્ષણ શરૂ થયું છે. ત્રીજા તબક્કામાં કુલ 26 હજાર વોલંટિયર્સ પર કોવેક્સીનનું પરિક્ષણ થવાનું છે. 26 હજારમાંથી અમદાવાદમાં 1 હજાર લોકો પર કોવેક્સીનનું પરિક્ષણ થશે.
ભારત બાયોટેકે કોવેક્સીન 60 ટકા અસરકારક હોવાનો દાવો
26 હજાર લોકોને 28 દિવસમાં 2 વાર રસી આપવામાં આવશે. કંપની અને સંશોધકોને એ જાણ નહી થાય કે રસી ક્યા સમૂહને અપાઈ છે. સરકારના ICMR અને NIVના સહયોગથી ભારત બાયોટેક આ રસી બનાવી રહી છે ભારત બાયોટેકે કોવેક્સીન 60 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો છે.
વોલંટિયરમાં 50 ટકાને કોવેક્સીન અને 50 ટકાને પ્લેસબો અપાશે
વોલંટિયરમાં 50 ટકાને કોવેક્સીન અને 50 ટકાને પ્લેસબો અપાશે. એટલે કે પ્લેસબો ઓછા અસરવાળી રસી હશે અને કોવેક્સીન વધુ અસરવાળી રસી હશે. બન્ને પ્રકારની રસી આપ્યા પછી દર્દીઓના પરિક્ષણને આધારે રસીની અસરકારકતા નક્કી થશે.
રસીના માનવ પરિક્ષણમાં ગુજરાત પણ ભાગીદાર
કોવેક્સીન બનાવવા માટે ભારત સરકાર સીધી રીતે ભાગીદાર છે. અમદાવાદના સોલામાં 1 હજાર લોકો પર કોવેક્સીનનું પરિક્ષણ થવાનું છે. ત્રીજા તબક્કામાં માનવ પરિક્ષણ સફળ રહે તો જલદીથી આ રસી આપણને મળશે. રસી મળશે કે નહી તે આ ત્રીજા તબક્કાના પરિક્ષણના આધારે નક્કી થશે. રસીના માનવ પરિક્ષણમાં ગુજરાત પણ ભાગીદાર થઈ રહ્યું છે.