કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામેની લડત હેઠળ બે વેક્સિનને મંજૂરી અપાઈ છે, જેના કારણે હવે ટૂંક સમયમાં અમદાવાદમાં વેક્સિનેશન શરૂ થશે. મ્યુનિ. તંત્ર દ્વારા ચાર તબક્કામાં નાગરિકોને વેક્સિન આપવાને લઈ તૈયારીને આખરી ઓપ અપાઈ ગયો છે.
ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ આરંભ્યુ
શું ચાર્જ ચૂકવવો પડશે તેવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું
ચાર્જેબલ વેક્સિનની વાતથી મ્યુનિ. સત્તાવાળાઓ પણ દ્વિધાભરી સ્થિતિમાં મુકાયા
રાજ્ય સરકાર દ્વારા વેક્સિનનો જથ્થો તંત્રને પહોંચતો કરાય તેની રાહ જોવાઈ રહી છે, જોકે કોરોના વોરિયર્સને ફ્રીમાં વેક્સિન અપાશે, પરંતુ સિનિયર સિટીઝન અને કોમોર્બિડ કન્ડિશન ધરાવતા લોકો પાસેથી વેક્સિનનો ચાર્જ લેવાય તેવો આશય ધરાવતા રાજ્ય સરકારના એક નિવેદનના પગલે શહેરીજનોમાં ચાર્જેબલ વેક્સિનનો વિવાદ ઊઠશે.
શું ચાર્જ ચૂકવવો પડશે તેવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું
રાજ્યમાં ત્રણ તબક્કામાં વેક્સિનેશન હાથ ધરાશે અને કોરોના વોરિયર્સને ફ્રીમાં વેક્સિન અપાશે, જોકે વેક્સિનેશન દરમિયાન ગરીબ, મધ્યમવર્ગને આર્થિક ભારણ પડે નહીં તેનું ધ્યાન રખાશે તે પ્રકારની રાજ્ય સરકારની ગઈ કાલે કરાયેલી જાહેરાતના પગલે કોરોના વોરિયર્સ સિવાયના લોકોએ વેક્સિન લેવા શું ચાર્જ ચૂકવવો પડશે તેવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.
ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ આરંભ્યુ
મ્યુનિ. તંત્રની સરવેની ટીમ દ્વારા ૫૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને ડાયાબિટીસ-બીપી જેવા અન્ય રોગ ધરાવતા એટલે કે કોમોર્બિડ કન્ડિશનવાળા લોકોનો ઘેર ઘેર ફરી સરવે કરાયો છે. પહેલા તબક્કાના સરવેમાં લોકોએ વેક્સિનની આડઅસર થવાના ડરથી સરવેની ટીમને વિગત આપવાનું ટાળતાં તંત્રને બીજી વખત સરવે કરવો પડ્યો હતો. હવે તો સત્તાવાળાઓએ વેક્સિનેશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ આરંભ્યું છે.
એક અંદાજ મુજબ શહેરના ૬.૭૫ લાખ ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને ૨૫ હજારથી વધુ કોમોર્બિડ કન્ડિશન ધરાવતા લોકોએ તેમનું વેક્સિનેશન માટે સરવેની ટીમ સમક્ષ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં પણ ૧૦ હજારથી વધુ લોકોનાં રજિસ્ટ્રેશન થઈ ચૂક્યાં છે. આમ, અત્યારે સિનિયર સિટીઝન અને કોમોર્બિડ કન્ડિશન ધરાવતા લોકો મળીને કુલ સાત લાખથી વધુ નાગરિકો ફ્રીમાં વેક્સિન મેળવવા તંત્રમાં તેમનું રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.
ચાર્જેબલ વેક્સિનની વાતથી મ્યુનિ. સત્તાવાળાઓ પણ દ્વિધાભરી સ્થિતિમાં મુકાયા
હવે વેક્સિનની કંપની કેન્દ્ર સરકારને રૂ. ૨૦૦નાે એક ડોઝ મુજબ બે ડોઝ રૂ. ૪૦૦ના ભાવથી આપવાની હોઈ જો તેની કિંમતમાં ૫૦ ટકા રાહત અપાય તો પણ ચાર્જેબલ વેક્સિનના બે ડોઝની કિંમત રૂ. ૨૦૦ થાય તેમ છે, જોકે આટલાે ચાર્જ પણ અનેક ગરીબ અમદાવાદીઓના ખિસ્સાને પરવડે એમ તેમ ન હોઈ આનાથી વેક્સિનેશનના કાર્યક્રમની સફળતા સામે પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે એટલે પોલિયોની વેક્સિન જેવી અન્ય ફ્રીમાં અપાતી વેક્સિનની જેમ કોરોના વેક્સિન આ લોકોને આપવી જોઈએ, કેમ કે કોરોનાથી મોતનું જોખમ આ બે કેટેગરીના લોકો પર જ વધુ છે, જોકે ચાર્જેબલ વેક્સિનની વાતથી મ્યુનિ. સત્તાવાળાઓ પણ દ્વિધાભરી સ્થિતિમાં મુકાયા છે.