દિવાળીના તહેવારો ટાણે જ ગુજરાત સરકારે રીક્ષા ચાલકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે હવેથી રાજ્યમાં CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા ગમે ત્યાં ફરી શકશે.
દિવાળી ટાણે ગુજરાતના રિક્ષા ચાલકો માટે સારા સમાચાર
હવેથી CNG-પેટ્રોલ અને ઈ-રિક્ષા રાજ્યમાં ગમે ત્યાં ફરી શકશે
અત્યાર સુધી રાજ્યમાં જે તે જિલ્લા પૂરતી જ અપાતી હતી પરમીટ
ગુજરાતના રીક્ષા ચાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે રાજ્ય સરકારે રીક્ષા ચાલકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવેથી ગુજરાતમાં CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા ગમે ત્યાં હરીફરી શકશે. કારણ કે અત્યાર સુધી રાજ્યમાં જે-તે જિલ્લા પૂરતી જ પરમીટ અપાતી હતી.
ગુજરાતના રીક્ષા ચાલકો માટે સારા સમાચાર: હવેથી CNG-પેટ્રોલ અને ઈ-રિક્ષા રાજ્યમાં ગમે ત્યાં ફરી શકશે, અત્યાર સુધી રાજ્યમાં જે-તે જિલ્લા પૂરતી જ અપાતી હતી પરમીટ#Gujarat#Rickshaw
શહેરી વિસ્તારો ઉપરાંત એક્સપ્રેસ-વે પર ડીઝલ રિક્ષાને મંજૂરી નહીં
જોકે અમદાવાદ, સુરત સહિતના શહેરી વિસ્તારો ઉપરાંત એક્સપ્રેસ-વે પર ડીઝલ રિક્ષાને મંજૂરી નહીં. આ અંગેનો નિર્ણય તાજેતરમાં જ યોજાયેલી વાહન વ્યવહારની બેઠકમાં લેવાયો છે.
ઓટોરીક્ષાને પરમીટની શરતો અનુસાર જ વાપરવાની હોય છે
વધુમાં તમને જણાવી દઇએ કે, થ્રી વ્હીલર ઓટોરીક્ષાએ ટ્રાન્સપોર્ટ કેટેગરીનું પબ્લિક સર્વિસ વાહન છે. આ વાહનનો વપરાશ કરવા મોટર વ્હીકલ્સ એક્ટ, 1988ની કલમ-39 મુજબ નોંધણી કરવાની જરૂર રહે છે. તેમજ કલમ 66 મુજબ પરમીટ મેળવવાની જરૂર રહે છે. ઓટોરીક્ષાને પરમીટની શરતો અનુસાર જ વાપરવાની હોય છે. જોકે આ પરમીટની શરતો ચાર પ્રકારની હોય છે. જેમાં એક શરતની અંદર ઓટોરીક્ષાની પરમીટમાં વિસ્તાર તરીકે માર્ગ જે-તે જિલ્લો અથવા તો શહેર દર્શાવવામાં આવેલ છે.