અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પાસે સ્થિનિકો દ્વારા આજે બ્રિજ પર ઉભા રહી વિરોધ પ્રદર્શન કર્યો હતો. ત્યારે સ્થાનિકોએ બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટર પર આક્ષેપ કર્યા હતા.
હાટકેશ્વર બ્રિજ પર સ્થાનિકોનો વિરોધ
બ્રિજ પર ઉભા રહીને કર્યો વિરોધ
ગઈકાલે મનપાએ કર્યું હતું ડિમોલિશન
અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પાસે સ્થિનિકો દ્વારા આજે બ્રિજ પર ઉભા રહી વિરોધ પ્રદર્શન કર્યો હતો. ત્યારે સ્થાનિકોએ બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટર પર આક્ષેપ કર્યા હતા. તેમજ બ્રિજ બનાવવામાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો. ગઈકાલે મનપાએ બ્રિજ આસપાસ ડિમોલિશનની કામગીરી પણ કરી હતી. જેમાં મનપાએ વેપારી અને સ્થિનિકોનાં ઓટલા પણ તોડ્યા હતા. લેબના રિપોર્ટમાં પણ નબળી ગુણવત્તાનું મટિરિય વપરાયું હોવાનો આક્ષેપ થયો હતો. જેમાં CIMEC લેબમાં કોંન્ક્રીટનો પ્રાઇમરી રિબાઉન્ડ હેમર ટેસ્ટ ફેલ થયો.
બ્રિજનું થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરનારી કંપની સામે પણ પગલા લેવાયા ન હતા
બ્રિજને મજબૂતી આપવા માટે M45 ગ્રેડની કોન્ક્રિટ વાપરવી જોઈએ તેના બદલે M15ના ગ્રેડની કોન્ક્રિટ વપરાઈ હતી. આ બ્રિજનો પ્રાઈમરી ગણાતો રિબાઉન્ડ હેમર ટેસ્ટ 2022માં જ ફેલ થયો હતો. આમ છતાં કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કોઈ પગલા લેવાયા ન હતા. અજય એન્જી. ઈન્ફ્રા. પ્રા.લી દ્વારા બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. બ્રિજનું થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરનારી કંપની સામે પણ પગલા લેવાયા ન હતા. એટલુ જ નહીં AMCના કોઈ કર્મચારી સામે પણ પગલાં લેવાયા નથી. 2015માં આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ 30 નવેમ્બર 2017માં આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બ્રિજના સ્ટ્રક્ચરની લાઈફ 50 વર્ષની નક્કી કરવામાં આવી હતી. આમ છતાં 5 વર્ષમાં 6 વખત બ્રિજમાં ગાબડાં પડ્યા છે. ચૂંટણી પહેલા જ બ્રિજના લેબોરેટરી રિપોર્ટ આવ્યો હતો, પરંતુ અધિકારીઓએ લેબોરેટરી રિપોર્ટ દબાવી રાખ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ પણ AMCના અધિકારીઓ મૌન રહ્યા હતા.
AMC કમિશ્નર એમ. થેન્નારસનને ગાંધીનગરમાં હાજર થવાનું ફરમાન
VTV NEWSના અહેવાલની મોટી અસર પડી છે. ત્યારે હાટકેશ્વર બ્રિજ ગાબડા પડવા મામલે રાજ્યનાં CM ભુપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી હતી. AMC કમિશ્નર એમ. થેન્નારસનને ગાંધીનગરમાં હાજર થવાનું ફરમાન કર્યું છે. તેમજ બ્રિજના તમામ ડોક્યુમેન્ટ અને છેલ્લા રિપોર્ટ સાથે તેઓને હાજર રહેવા તાકીદ કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે AMCના જવાબદાર આગેવાનો સાથે ચર્ચા કરી હતી. બ્રિજની હલકી ગુણવત્તા મુદ્દે ગાંધીનગરમાં ગંભીર નોંધ લેવાઈ છે.
હાટકેશ્વર બ્રિજ સૌથી નીચી ગુણવત્તાનોઃઅર્જુન મોઢવાડિયા
VTVના અહેવાલ બાદ હાટકેશ્વર બ્રિજની વિધાનસભામાં પણ ચર્ચા થઈ હતા. અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ગાજ્યો હતો. આ મામલે કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં રજૂઆત કરી હતી. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ સૌથી નીચી ગુણવત્તાનો છે. ક્યાં કારણોસર આ બ્રિજ આવો બન્યો તેનો સરકાર જવાબ આપે.
ભ્રષ્ટ અધિકારીઓએ 25 કરોડ રૂપિયા કટકી કરીઃ શૈલેષ પરમાર
હાટકેશ્વર બ્રિજ અંગે કોંગ્રેસના MLA શૈલેષ પરમારે કહ્યું હતું કે 4 વર્ષ પહેલા જ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ધાબુ ભરતા હોય એમાં વપરાતી સામગ્રી બ્રિજમાં વપરાઈ છે. ભ્રષ્ટ અધિકારીઓએ 25 કરોડ રૂપિયા કટકી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.