ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વિરુદ્ધ સતત ફરિયાદો કરવામાં આવી રહી છે. BCCIને કરવામાં આવતી ફરિયાદો પર એક અધિકારીએ જણાવ્યું છે કે કોઈ કોહલીની પ્રગતિથી ખુશ નથી સતત ફરિયાદો કરીને કાવતરું કરવામાં આવી રહ્યું છે.
વિરાટ કોહલીની કંપની વિરુદ્ધ સતત ફરિયાદોનો દોર
BCCIના અધિકારીએ કહ્યું કોઈ વિરાટ કોહલી વિરુદ્ધ કાવતરું કરી રહ્યું છે
અમે આવા લોકોને સફળ નહિ થવા દઈએ : BCCI
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સામે સતત ફરિયાદો સામે આવી રહી છે. કોહલી વિરુદ્ધ BCCIમાં આવતી ફરિયાદ મુદ્દે BCCI એથિક્સ ઓફિસર ડી.કે. જૈનને મેલ કરીને ફરિયાદ કરવામાં આવી રહી છે. સંજીવ ગુપ્તા નામક વ્યક્તિનો આરોપ છે કે કોહલીની કંપનીએ લોઢા સમિતિની ભલામણોનું ઉલ્લંઘન કર્યું છે. આ જ મુદ્દે BCCIએ તેને કાવતરું ગણાવ્યું છે. સંજીવ ગુપ્તાએ ફરિયાદ કરીને કહ્યું છે કે એલએલપી અને કોરટનસ્ટોન પાર્ટનર એલએલપી એમ બે કંપનીમાં વિરાટ કોહલી ડીરેક્ટર છે.
આ જ મુદ્દે BCCIમાં મળતી ફરિયાદો મુદ્દે અધિકારીએ ખુલાસો કર્યો છે કે કોઈ વિરાટ કોહલી વિરુદ્ધ કાવતરું કરી રહ્યું છે. તેમણે કહ્યું કે લોકો કોહલીની પ્રગતિથી ખુશ નથી. કોહલી અને તેની કંપની વિશે સતત ફરિયાદો આવી રહી છે, 6 વર્ષથી આવતી ફરિયાદો પરથી લાગે છે કે કોઈ કેપ્ટનને નુકસાન પહોંચાડવા માંગે છે. આ ફરિયાદો પર ધ્યાન આપીશું તો કાવતરાખોરોનેને પ્રોત્સાહન મળશે.
નોંધનીય છે કે કોઈ પણ ખેલાડીને જીવનમાં કમાવવાની તકો ખૂબ ઓછી હોય છે ત્યારે વિરાટ કોહલીના નજીક સૂત્રો પણ કહી રહ્યા છે કે આમ ફરિયાદ થવી ખૂબ દુઃખદ છે. આવી ફરિયાદોથી ખેલાડીની માનસિકતા પર અસર પડે છે.