ભારત જેવા વિકાસશીલ દેશોની સામે વસ્તી અને બેરોજગારી મોટો પડકાર છે. કોરોના મહામારીને લઇને બેરજોગારીની સમસ્યા વધુ ગંભીર થઇ ચૂકી છે.
ભારતમાં બેરોજગારોની સંખ્યામાં વધારો
CMIEનો રિપોર્ટમાં થયો ખુલાસો
વર્ષ 2021 ડિસેમ્બર સુધી બેરોજગારોની સંખ્યા 5 કરોડને પાર
એક હાલના જ રિપોર્ટ અનુસાર, દેશમાં બેરોજગારોની સંખ્યા 5 કરોડથી વધુ થઇ ગઇ છે. જેમાં મહિલાઓની સંખ્યા ઘણી વધુ છે.
બેરોજગારોમાં મહિલાઓની મોટી સંખ્યા
સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી(CMIE)ના એક દિવસ પહેલાના જાહેર થયેલા રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2021 સુધી ભારતમાં બેરોજગાર લોકોની સંખ્યા 5.3 કરોડ રહી. જેમાં મહિલાઓની સંખ્યા 1.7 કરોડ છે. ઘર બેઠેલા લોકોમાં તેમની સંખ્યા વધી છે, જે સતત કામનો પ્રયાસ કરી રહ્યા છે. CMIEના અનુસાર, સતત કામની શોધ કર્યા બાદ પણ બેરોજગાર બેઠેલા લોકોનો મોટો આંકડો ચિંતાજનક છે.
શોધવા પર પણ નથી મળી રહ્યું કામ
રિપોર્ટ અનુસાર, કુલ 5.3 કરોડ બરોજગાર લોકોમાંથી 3.5 કરોડ લોકો સતત કામની શોધ કરી રહ્યા છે. તેમાં અંદાજિત 80 લાખ મહિલાઓ સામેલ છે. બાકીના 1.7 કરોડ બેરોજગાર કામ કરવા માંગે છે, પરંતુ તેઓ એક્ટિવ થઇને કામની શોધખોળ નથી કરી રહ્યા. તેવા બેરોજગારોમાં 53 ટકા એટલે 90 લાખ મહિલાઓ સામેલ છે. CMIEનું કહેવું છે કે, ભારતમાં રોજગારી મળવાનો દર બહુ ઓછા છે અને આ બહુ મોટી સમસ્યા છે.
ગ્લોબલ સ્ટાન્ડર્ડથી ઘણું નીચે છે ભારત
વર્લ્ડ બેંકના હિસાબે વૈશ્વિક સ્તરે રોજગારી મળવાનો દર મહામારીથી પહેલા 58 ટકા હતો, જ્યારે કોવિડના આવ્યા બાદ 2020માં દુનિયાભરમાં 55 ટકા લોકોને રોજગારી મળી રહી હતી. બીજી તરફ ભારતમાં માત્ર 43 ટકા લોકોને જ રોજગારી મળવામાં સફળ રહ્યા હતા. CMIEના હિસાબે ભારતમાં રજોગારી મળવાનો દર વધુ ઓછો છે. સંસ્થાનનું માનવું છે કે, ભારતમાં માત્ર 38 ટકા લોકોને જ રોજગારી મળી રહી છે.