કોરોના વાયરસ સંકટ અને તેને ફેલાતો રોકવા માટે દેશભરમાં લાગૂ લૉકડાઉનને કારણે દેશમાં બેરોજગારીમાં ઝડપથી વધારો થયો છે. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનમીએ પોતાની તાજા રિપોર્ટમાં ચેતવણી આપી છે કે ગત એક સપ્તાહમાં બેરોજગારી દર દેશમાં વધીને અનપેક્ષિત 27.1 ટકા થઇ ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લૉકડાઉન દરમિયાન એપ્રિલમાં 9.1 કરોડ નાના વેપારીઓ અને છૂટક મજૂરી કામ કરતા મજૂરોની રોજગારી છિનવાઇ ગઇ છે.
3 મેએ પૂર્ણ થતા ગત સપ્તાહ દરમિયાન બેરોજગારીનો દર વધીને 27.1 ટકા થયો
દેશમાં આ અત્યાર સુધીનો સૌથી ઉંચો બેરોજગારી દર છે
લૉકડાઉન દરમિયાન એપ્રિલમાં 9.1 કરોડની રોજગારી છિનવાઇ ગઇ છે
કોરોના વાયરસ સંકટ દરમિયાન આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં લાખો મજૂરોનું પલાયન આ સંકટની ઓળખ બની ચૂકી છે. લૉકડાઉન દરમિયાન ઠપ થઇ ચૂકેલી અર્થવ્યવસ્થાને કારણે કરોડો મજૂરો અને કર્મચારીઓની રોજગારી છિનવાઇ ગઇ છે.
ભારતીય અર્થવ્યવસ્થા પર નજર રાખનારી સંસ્થા સેન્ટર ફોર મૉનિયરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ પોતાની આકારણીમાં દાવો કર્યો છે કે 3 મેએ પૂર્ણ થતા ગત સપ્તાહ દરમિયાન બેરોજગારીનો દર વધીને 27.1 ટકા પર પહોંચી ગયો. આ અત્યાર સુધીનો સૌથી ઉંચો બેરોજગારી દર છે. વર્ષ 2019-20 દરમિયાન કુલ સરેરાશ રોજગારી 40.4 કરોડ હતી. જે એપ્રિલ 2020માં 30 ટકા ઘટીને 28.2 કરોડ રહી ગઇ એટલે કે 12.2 કરોડ રોજગારી ઘટી ગઇ છે.
ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ વેદ જૈનનું કહેવું છે કે 'અસંગઠિત ક્ષેત્રના મજૂરો અને પ્રવાસી મજૂરોને મનરેગા હેઠળ સીધી રોજગારી ઉત્પન્ન કરવી પડશે. તેમને ઇન્સેટિવ અને મહેનતાણુ આપવું જરૂરી છે. તેનાથી અર્થવ્યવસ્થાને બુસ્ટ મળશે, માંગ વધશે, ઉત્પાદન વધશે અને રોજગારીના અવસર પેદા થશે.'
MSME ફેડરેશનના સેક્રેટરી જનરલ અનિલ ભારદ્વાજે કહ્યું કે તમામ MSMEનું કહેવું છે કે સરકારે MSMEના વર્કરોની સેલરીની જે જવાબદારી છે તેને ખતમ કરવી જોઇએ એટલે કે તેને આપવી જોઇએ.'
લૉકડાઉનથી સૌથી મોટો ફટકો નાના વેપારીઓ અને છૂટક મજૂરી કરતા લોકોને પડ્યો છે. સેન્ટર ફોર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનમીએ પોતાના તાજા રિપોર્ટમાં કહ્યું છે કે 2019-2020માં નાના વેપારીઓ અને છૂટક મજૂરોમાં સરેરાશ 12.8 કરોડની પાસે રોજગારી હતી. એપ્રિલ 2020માં આ ઘટીને માત્ર 3.7 કરોડ સુધી સમેટાઇ ગઇ એટલે કે લૉકડાઉન દરમિયાન એપ્રિલમાં 9.1 કરોડની રોજગારી છિનવાઇ ગઇ છે.
માર્ચથી જ બેરોજગારી વધવાનું શરૂ થઇ ગયું હતું. લૉકડાઉનને કરોડો નાના વેપારીઓ અને વર્કરોનું સંકટ અનપેક્ષિત રીતે વધું વધારી દીધું છે. સૌથી ચિંતાજનક એ છે કે કોરોનાનું સંકટ જો વધુ લાંબુ ચાલ્યું તો રોજગારીનું સંકટ વધુ મોટુ થતું જશે.