લખીમપુર ખીરી હિંસા પર સીએમ યોગીએ કહ્યુ કે, આ ઘટના ખુબ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર તેના નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ કરી રહી છે. કાયદો પણ દરેક સાથે સમાન વર્તન કરશે.
લખીમપુર ખીરી ઘટના ખૂજ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે
CM યોગીએ વિરોધીઓ પર ચાંબખા માર્યા
કાયદો પોતાનું કામ કરશે
કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી
લખીમપુર ખીરી ઘટના ખૂજ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચાલી રહેલા એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખીરી હિંસા પર એક નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ ઘટના દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર તેના જળ સુધી પહોંચી રહી છે. લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. તે ગમે તે હોય, કાયદો બધા માટે સમાન છે, કાયદો દરેક સાથે સમાન વર્તન કરશે. પરંતુ હાઇકોર્ટનો ચુકાદો પણ છે કે ધરપકડ પહેલા પુરતા પુરાવા હોવા જોઇએ. અમે માત્ર આરોપો પર કોઈની ધરપકડ કરીશું નહીં. અમે ભાજપના ધારાસભ્ય કે વિપક્ષના નેતા હોવાના પુરાવા મળ્યા બાદ દરેકની ધરપકડ કરી છે.
CM યોગીએ વિરોધીઓ પર ચાંબખા માર્યા
કોંગ્રેસ સહિત વિપક્ષના તમામ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને લખીમપુર જવાથી રોકવામાં આવ્યા હતા કારણ કે તેઓ કંઈક ખોટું કરી રહ્યા હતા. CM યોગીએ કહ્યું કે અમે આ અંગે તાત્કાલિત FIR નોંધાવી છે. આપણા વિપક્ષના લોકો જે સદ્દભાવના દૂત નથી એક વાર તપાસ પૂર્ણ થવા દો પછી સાબિત થઈ જશે દૂધ નુ દૂધ અને પાણી નું પાણી છત્તીસગઢમાં મુખ્યમંત્રી પોતાના રાજ્યને સંભાળી શક્તાં નથી. છત્તીસગઢમાં કેટલાક ખેડૂતો પોલીસની ગોળીઓથી માર્ય ગયાં હતાં. તેમને તેમના પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. પણ જો તમારે ચાકરી જ કરવી હોય તો લખીમપુર જાવ, એવી જ રીતે પંજાબના મુખ્યમંત્રી પોતાના ડીજીપી, મુખ્ય સચિવ નક્કી કરવા સક્ષમ નથી. આંતરિક તકરારથી ઘેરાયેલા છે, તેથી તેઓ પોતાની ખામીઓ છુપાવવા માટે આવી રાજનીતિ કરી રહ્યા છે.
લખીમપુર એક બહાનું છે. પણ અમે એવું નહીં થવા દઈએ.
સીએમ યોગીએ કહ્યું કે હું રાહુલ અને પ્રિયંકાને પૂછવા માંગુ છું. દેશ માર્ચ 2020 થી કોરોનાથી પીડિત છે. 24 થી 25 કરોડની વસ્તી ઉત્તર પ્રદેશમાં રહે છે. હું કોંગ્રેસ, સપા, બસપાના નેતાઓને પૂછવા માંગુ છું કે જેઓ આજે રાજકીય પ્રવાસ કરી રહ્યા છે, તેમાંથી કેટલા નેતાઓ બહાર આવ્યા. કોરોનાના સમયગાળામાં આમાંથી કશું જોવા મળ્યું નથી. જ્યારે દરેક યુપીમાં સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમની સાથે હતી. માર્ચ 2020 થી ઓક્ટોબર 2021 સુધી આ સ્થિતિ હતી. અચાનક તેને લાગ્યું કે લખીમપુર એક બહાનું છે. પણ અમે એવું નહીં થવા દઈએ.
કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી
સીએમ યોગીએ કહ્યું કે છત્તીસગઢમાં કવર્ધા કેમ ન ગયા. જે ખેડૂતો ગોળીબારથી મોતના ઘાટ ઉતારી દીધા હતાં તેમના પરિવારોને પણ મળવા જઈ શકે છે મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન કોંગ્રેસે અમને 1000 બસોની યાદી આપી હતી. જ્યારે અમે તપાસ કરી ત્યારે સ્કૂટરના નંબર અમને બસના નામે આપવામાં આવ્યા હતા. કોંગ્રેસ આવા ભદ્દો મજાક કરી રહી હતી. કોંગ્રેસના નેતૃત્વનું આ ખૂબ જ શરમજનક કૃત્ય હતું.
કાયદો પોતાનું કામ કરશે
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની અને તેમના પુત્ર અંગે સીએમ યોગીએ કહ્યું કે કાયદો પોતાનું કામ કરશે પરંતુ કોઈના દબાણ હેઠળ કોઈ કામ કરવામાં આવશે નહીં. પોલીસ દ્વારા SIT અને ન્યાયિક આયોગની રચના કરવામાં આવી છે. બાબતના જળ સુધી પહોંચી જશે. તમામ વોન્ટેડની ધરપકડ શરૂ થઈ છે. ગઈકાલે ઘણી ધરપકડ થઈ છે, આજે પણ કાર્યવાહી ચાલી રહી છે. સમગ્ર મામલે ન્યાયી અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉશ્કેરણી જનક ભાષણો ન થવા જોઈએ
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના ઉશ્કેરણીજનક ભાષણ અંગે યોગીએ કહ્યું કે રાજકીય ભાષણ અને ધમકીમાં ફરક છે. રાજકીય ભાષણો માત્ર ભાજપ જ નહીં, પણ તમામ નેતાઓ આપે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે કોઈની હત્યા કરવી જોઈએ. પ્રયત્નો કરવા જોઈએ કે આવા ભાષણો ન થવા જોઈએ,