યોગી આદિત્યનાથે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ, જ્યારે આપણાં ધાર્મિક સ્થળોનો નાશ થાય છે, ત્યારે તે ફરીથી બનાવવામાં આવે છે
એક કાર્યક્રમમાં CM યોગીએ સનાતન ધર્મને દેશનો રાષ્ટ્રીય ધર્મ ગણાવ્યો
કોંગ્રેસે પૂછ્યું- તો શું ઈસ્લામ, જૈન, બૌદ્ધ ધર્મ ખતમ?
સનાતન ધર્મને લઈ UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. યોગી આદિત્યનાથે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે. વાત જાણે એમ છે કે, હાલ યોગી આદિત્યનાથ રાજસ્થાનના જાલોર પ્રવાસે છે. શુક્રવારે તેમણે ભીનમાલના નીલકંઠ મહાદેવ મંદિરના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સનાતન ધર્મને દેશનો રાષ્ટ્રીય ધર્મ ગણાવ્યો હતો.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, અંગત સ્વાર્થથી ઉપર ઉઠીને આપણે રાષ્ટ્રધર્મમાં જોડાઈએ છીએ. રાષ્ટ્રધર્મમાં જોડાઈએ તો દેશ સુરક્ષિત છે. જ્યારે આપણાં ધાર્મિક સ્થળોનો નાશ થાય છે, ત્યારે તે ફરીથી બનાવવામાં આવે છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિર બની રહ્યું છે, ભવ્ય મંદિર બની રહ્યું છે.
શું કહ્યું યોગી આદિત્યનાથે ?
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જો ધાર્મિક સ્થળોની અપવિત્રતા કરવામાં આવી હોય તો તેમના પુનઃસ્થાપન માટે એક અભિયાન ચલાવવું જોઈએ અને તમે આ અભિયાનનો ક્રમ જોતા હશો કે 500 વર્ષ પછી મોદીજીના પ્રયાસોથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આજે ભારતનું રાષ્ટ્રીય મંદિર ભગવાન રામના મંદિર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે અને હું ખૂબ જ ખુશ છું કે આગામી એક વર્ષમાં રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે.
યોગી આદિત્યનાથે ટ્વિટ કરી શું કહ્યું ?
યોગી આદિત્યનાથે આ અંગે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું, આજે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે રાજસ્થાનના જાલોરમાં આવેલા શ્રી નીલકંઠ મહાદેવ મંદિરની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હું ભગવાન શ્રી નીલકંઠ મહાદેવને પ્રાર્થના કરું છું કે, તેઓ બધા ભક્તોને ખ્યાતિ અને સમૃદ્ધિ આપે.
आज राजस्थान के जालोर स्थित श्री नीलकंठ महादेव मंदिर में मा. केंद्रीय मंत्री श्री गजेंद्र सिंह शेखावत जी के साथ दर्शन-पूजन करने का सौभाग्य प्राप्त हुआ।
કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર
આ તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનને લઈ હવે કોંગ્રેસ નેતા ઉદિત રાજે નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું કે, યોગી આદિત્યનાથે કહ્યું કે આપણો સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે. એટલે શીખ, જૈન, બૌદ્ધ, નિરંકાર, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ સમાપ્ત ?
हमारा सनातन धर्म भारत का राष्ट्रीय धर्म: बोले CM योगी।मतलब सिख , जैन, बौद्ध, निरंकार, ईसाई और इस्लाम धर्म ख़त्म।