ઉત્તરપ્રદેશ વિધાનસભામાં CM યોગીએ કહ્યું સપાના લોકો વધુ ગરમી ના બતાવે, જે જે ભાષમાં સમજશે તેને એજ ભાષામાં સમજાવવામાં આવશે, સૌના પેટનું દર્દ દૂર કરી દઇશ.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષના વલણની કરી ટીકા
વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યપાલના અભિભાષણ દરમિયાન વિપક્ષી સભ્યોના વર્તનથી નારાજ હતા
યોગીએ કહ્યું કે, આ કારણ છે કે નેતા જેવું સન્માનજનક શબ્દ હવે અપમાનજનક લાગવા લાગ્યો
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષના વલણની ટીકા કરતા રોષ વ્યક્ત કર્યો. તેઓ રાજ્ય વિધાનસભા મંડળના બજેટ સત્રમાં રાજ્યપાલના અભિભાષણ દરમિયાન વિપક્ષી સભ્યોના વર્તનથી નારાજ હતા. યોગીએ કહ્યું કે, એજ કારણ છે કે નેતા જેવા સન્માનજક શબ્દ હવે અપમાજનક લાગવા લાગ્યો છે. સપાના લોકો વધુ ગરમી ન બતાવે, જે જે ભાષામાં સમજે છે, તેને એજ ભાષામાં સમજાવવામાં આવશે.
મુખ્યમંત્રીએ ગુરૂવારે વિધાનસભા પરિષદમાં રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા 18 ફેબ્રુઆરીએ અભિભાષણ દરમિયાન વિપક્ષના વલણનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, સારી વસ્તુઓને સ્વીકારવામાં આવે છે અને ખરાબ વસ્તુઓને છોડી દેવામાં આવે છે, પરંતુ અહીં ઉલ્ટું જોવા મળ્યું છે. ખરાબ વસ્તુઓને સાચી માનીને વધુ ખરાબ કેવી રીતે કરવામાં આવે, આની પ્રતિસ્પર્ધા કરવામાં આવે છે.
લોકશાહી માટે સારા સંકેત નથી
યોગીએ વધુમાં કહ્યું કે, આ લોકતંત્ર માટે સારા સંકેત નથી. આનાથી આપણ નેતા અને કાર્યકર્તાની વિશ્વસનીયતાના સંકટથી પસાર થાય છે. એટલા માટે લોકો તેમને શંકાની નજરે જોવે છે. આ દરમિયાન ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપવાનો ઉલ્લેખ આના પર વિપક્ષી સભ્યોના વાંધા પર મુખ્યમંત્રીએ તેમને વાત સંભળાવતા સલાહ આપી અને કહ્યું કે, હું જાણું છું કે તમે લોકો કયા પ્રકારની ભાષા સાંભળો છો. તે પ્રકારનો ડોઝ પણ હું સમય સમયે આપું છું.
આના પર સમાજવાદી પાર્ટી(SP)ના સભ્ય નરેશ ઉત્તમે આપત્તિ કરતા કહ્યું કે, મુખ્યમંત્રી વારંવાર ઠીક કરી દઇશ, ડોઝ આપી દઇશની વાત કરે છે. મુખ્યમંત્રી ખુદ યોગી છે. તેમણે આ પ્રકારની ભાષા ન બોલવી જોઇએ. આ મામલાને લઇને મુખ્યમંત્રી અને SP સભ્યોની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ ગઇ.
શિષ્ટાચાર શીખવાની સલાહ આપી
યોગીએ SP સભ્યોને શિષ્ટાચાર શીખવાની સલાહ આપી અને કહ્યું કે, જે વ્યક્તિ જે ભાષાને સમજશે, એજ ભાષામાં તેને જવાબ આપવામાં આવશે. આ દરમિયાન SP સભ્યએ ઉભા થઇને વિરોધ કરવા લાગ્યા તો સભાપતિ કુંવર માનવેન્દ્રસિંહે હસ્તક્ષેપ કરતા તેમને બેસીને મુખ્યમંત્રીની વાત સાંભળવા કહ્યું.
આજે નેતા શબ્દ બન્યો અપમાનનું પ્રતીક
યોગીએ કહ્યું કે, આઝાદી પહેલા જે નેતા શબ્દ સન્માનનું પ્રતીક હતો... આઝાદી બાદ આજે એજ શબ્દ અપમાનજનક લાગવા લાગ્યો. તેમણે કહ્યું કે, જો કોઇને લાગે છે કે, તેઓ જેટલો દુર્વ્યવ્હાર કરી લેશે, જેટલા જોરથી ભવનમાં ચીસો પાડી લેશે, તેના માટે તેમના વખાણ થશે, તો મને લાગે છે કે આ તેમનો ભ્રમ છે. જનતા આને બહુ સારી રીતે નથી લેતી.
યોગીએ વિપક્ષ ખાસ કરીને સપા સભ્યો પર કડક શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું કે, નેતા વિરોધ પક્ષને છોડી દેય તો તેમને જે અન્ય સહયોગી છે, તેનાથી બહુ આશા પણ નથી કરવામાં આવી. તેમનો બહુ જુનો ઇતિહાસ પણ રહ્યો છે મહિલાઓનું અપમાન કરવાનો. સ્ટેટ ગેસ્ટ હાઉસ કાંડ કોણ નથી જાણતું? તે લોકોનો જે ઇતિહાસ રહ્યો છે, તેને જોતા દરેક વ્યક્તિ આ વાતને જાણે છે કે કેવા કેવા કૃત્યો થયા છે, પરંતુ ભવનની અંદર તો ઓછામાં ઓછું આ વસ્તુઓને બચાવીને રાખો.
વિપક્ષે કર્યું હતું વૉકઆઉટ
18 ફેબ્રુઆરીએ રાજ્ય વિધાનસભા મંડળના બજેટ સત્રની શરૂઆત પર ભવનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલના અભિભાષણ દરમિયાન તમામ વિપક્ષી સભ્યોએ ભવનથી વૉકઆઉટ કર્યું હતું. મુખ્યમંત્રીએ વૈશ્વિક મહામારી કોવિડ-19 દરમિયાન ભારતમાં સંક્રમણ વિરૂદ્ધ લડાઉનો શ્રેય પીએમ મોદીને આપતા કહ્યું કે, નેતૃત્વ બદલી જાય છે તો કેવી રીતે દેશનું ભાગ્ય બદલી જાય છે.