સીએમ યોગીની રેલી આજે બિસાહડા ગામમાં યોજાઇ હતી. જે રેલીમાં 2015માં ગૌમાંસ રાખવાની અફવામાં મારપીટ કરીને કરેલી અખલાકની હત્યાનો મુખ્ય આરોપી વિશાલ યોગી જોવા મળતા વિવાદ ઉભો થયો હતો.
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની બિસાહડા ગામમાં યોજાયેલી રેલીએ વિવાદ ઉભો કર્યો છે. સીએમ યોગીની રેલી એટલા માટે વિવાદમાં આવી છે કે, અખલાક હત્યાકાંડનો આરોપી વિશાલ યોગીની રેલીમાં પહેલી હરોળમાં બેસેલો જોવા મળ્યો. એટલું જ આરોપી વિશાલ યોગીની રેલી દરમિયાન નારેબાજી પણ કરતો નજરે પડ્યો.
ઉલ્લેખનીય છે કે, અખલાકની વર્ષ 2015માં ગૌમાંસ રાખવાની અફવામાં મારપીટ કરીને હત્યા કરવામાં આવી હતી. અખલાક હત્યાકાંડનો મુખ્ય આરોપી વિશાલ સિંહ યોગી આદિત્યનાથની આ રેલીમાં સૌથી પહેલી હરોળમાં બેસેલો જોવા મળ્યો.
વિશાલસિંહ ભાજપના સ્થાનિક નેતા સંજય રાણાનો દીકરો છે. અખલાક હત્યાકાંડ બાદ પોલીસે તેની ધરપકડ પણ કરી હતી અને હાલ તે જામીન પર બહાર છે. તો આ મામલે A.I.M.I.M.ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપની રેલીનું આયોજન કરનારા લોકોએ પહેલા કાળા કપડા પહેરનારા લોકોને રોક્યા હતા. જ્યારે હત્યાકાંડના આરોપીને પહેલી હરોળમાં ટિકિટ મળી જાય છે.