ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મહંત નરેન્દ્રગીરીના અંતિમ દર્શન કર્યા સાથેજ તેમની આત્મહત્યાને લઈને કહ્યું કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ કેસમાં તપાસ કરી રહ્યા છે. આરોપીઓને કડક સજા આપવામાં આવશે.
CM યોગીએ મહંત નરેન્દ્રી ગિરીના અંતિમ દર્શન કર્યા
દર્શન કર્યા બાદ મહંતના મોતને લઈને આપ્યું મોટું નિવેદન
આરોપીઓને છોડીશું નહી કડક સજા આપીશું : યોગી
उत्तर प्रदेश: मुख्यमंत्री योगी आदित्यनाथ ने अखिल भारतीय अखाड़ा परिषद के अध्यक्ष महंत नरेंद्र गिरि को प्रयागराज में उनके बाघंबरी मठ स्थित आवास पर श्रद्धांजलि दी। pic.twitter.com/oaKrael7Gj
અખાડડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીના મોત બાદ તેમનું પીએમ કરનેઅંતિમ સંસ્કાર કરવામાં આવશે જોકે તેમના મોત પાછળનું રહસ્ય સમય જતા વધું ઘારેઈ રહ્યું છે. પોલીસે ગઈકાલે સાંજના સમયે તેમના શિષ્ય આનંદ ગિરીની અટકાયત કરી છે. સાથેજ પોલીસ પણ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
CM યોગીએ આપી શ્રદ્ધાંજલી
મહંતનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં લટકેલો મળી આવ્યો. સાથેજ તેમના રૂમમાંથી 6 થી 7 જેટલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. ત્યારે આ સમગ્ર મામલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મહંત નરેન્દ્ર ગિરીને પ્રયાગરાજમાં જઈને શ્રદ્ધાજલી આપી હતી. સાથેજ તેમણે કહ્યું કે અખાડા પરિષદના સદસ્યોની એવી ઈચ્છા છે કે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે બાઘંબરી પીઠમાં રાખવામાં આવે. જેથી પીએમ કરાયા બાદ તેમનો સમાધિ કાર્યક્રમ રાખવામાં આવશે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં
સમગ્ર ઘટનાને લઈને સીએમ યોગીએ કહ્યું કે આ કેસમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાગ્યા છે. ટૂંક સમયમાં પર્દાફાશ થશે અને આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે. સાથેજ મહંત નરેન્દ્ર ગિરીના મોત પર તેમણે દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેમણે માન અપમાનની ચિંતા કર્યા વગાર પ્રયાગરાજ કુંભને ભવ્યતા સાથે આયોજિત કરવામાં યોગદાન આપ્યું હતું. ઉપરાંત તેમણે કહ્યું કે સમાજ અને દેશના હિતમાં જે પણ નિર્ણયો લેવામાં આવતા હતા તેમા તેમનો સહયોગ મળતો હતો.
મહંતને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા હતા
સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે મહંત ગિરીની કોઈએ વીડિયો સીડી બનાવી હતી અને તે વીડિયો સીડી દ્વારા તેમને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા હતા. પોલીસે તેની તપાસમાં આ સીડી પણ જપ્ત કરી છે. જોકે તેમના શિષ્યો દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે મૃત્યુ પહેલા તેમણે પોતાના કબૂલનામાનો એક વીડિયો પણ બનાવ્યો છે.
CBI તપાસની માગ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે અખાડા પરિષદના અધ્યક્ષ દેવેન્દ્ર સિંહ અને નરેન્દ્ર ગિરી દ્વારા આ કેસની તપાસ CBI કરે તેવી માગ કરવામાં આવી છે. ઉપરાંત અલ્હાબાદ હાઈકોર્ટમાં તેની અરજી પણ આપવામાં આવી છે. જેમા સુનીલ ચૌધરી નામના વકીલે આ અરજી કરી છે.