ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોનને સોમવારે રાજધાની લખનઉ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સત્તાવર નિવાસ સ્થાને મુલાકાત કરી હતી.
ઈઝરાયેલનું એક પ્રતિનિધિમંડળ આજે CM યોગી આદિત્યનાથને મળ્યું
UP બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોનેની સકારાત્મકત ભૂમિકા ભજવશે -CM યોગી
ઈઝરાયેલ અને ભારત વચ્ચે મજબૂત વ્યૂહાત્મક સંબંધો છે-ઈઝરાયેલના રાજદૂત
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે ઉત્તર પ્રદેશનું પોલીસ દળ દુનિયાનું સૌથી મોટું સિવિલ પોલીસ દળ છે. અમે અમારા પોલીસ દળને આધુનિક બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. જેમાં ઇઝરાયલ અમને સહકાર આપી શકે છે.
ઈઝરાયેલનું એક પ્રતિનિધિમંડળ આજે CM યોગી આદિત્યનાથને મળ્યું છે.
આ બેઠક CM નિવાસ 5 કાલિદાસ માર્ગ પર થઈ હતી. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ સીએમ યોગીને મળ્યું છે. આ બેઠક દરમિયાન, ઇઝરાયેલના રાજદૂતે તેમને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ભાજપની અભૂતપૂર્વ જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.તેમજ આ બેઠકમાં યુપીમાં ઈઝરાયેલના રોકાણ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને યુપી પોલીસને આધુનિક બનાવવા માટે ઇઝરાયેલના પ્રતિનિધિમંડળ સાથે વિગતવાર વાતચીત કરવામાં આવી હતી. યુપી સરકાર અને ઈઝરાયેલના પ્રતિનિધિમંડળે એકબીજાને અનેક ક્ષેત્રોમાં સહયોગની ખાતરી આપી હતી.
ઈઝરાયેલના રાજદૂતે કહ્યુ કે, ઈઝરાયેલ અને ભારત વચ્ચે મજબૂત વ્યૂહાત્મક સંબંધો છે
ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું છે કે ઈઝરાયેલ અને ભારત વચ્ચે મજબૂત વ્યૂહાત્મક સંબંધો છે. ઉત્તર પ્રદેશ સાથે અમે ઘણા ક્ષેત્રોમાં સારા સહયોગીની ભૂમિકામાં છીએ. નજીકના ભવિષ્યમાં, ઈઝરાયેલ ઉત્તર પ્રદેશને સંરક્ષણ, પોલીસ આધુનિકીકરણ, કૃષિ આધુનિકીકરણ, ખેડૂતોને પાણીનો બહેતર ઉપયોગ, બુંદેલખંડમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે સમર્થન આપવા જઈ રહ્યું છે.
UP બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોનેની સકારાત્મકત ભૂમિકા ભજવશે -CM યોગી
આ પ્રસંગે CM યોગીએ જણાવ્યું હતું કે ઈઝરાયેલના રાજદૂતના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં આવેલી ટીમનું હાર્દિક સ્વાગત છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે 30 વર્ષથી મજબૂત રાજદ્વારી સંબંધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં ઈઝરાયેલની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સહકારના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.આ પ્રવાસમાં ઉત્તર પ્રદેશનું એક પ્રતિનિધિમંડળ પણ સામેલ હતું. ભારત-ઈઝરાયેલ સંબંધો તાજેતરના વર્ષોમાં નવી ઊંચાઈઓ પર છે. ઉત્તર પ્રદેશ બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને સુધારવામાં તેની સકારાત્મક ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
ઈઝરાયેલ યુપીમાં કયા ક્ષેત્રમાં રોકાણ કરશે?
સીએમ યોગીએ વધુમાં કહ્યું કે ઈઝરાયલની મદદથી ઉત્તર પ્રદેશના બસ્તી અને કન્નૌજ જિલ્લામાં બે શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી, બંને તેમના ઉદ્દેશ્યોમાં સફળતા મેળવી રહ્યા છે. અમારી યોજના બાગાયત અને શાકભાજી ઉત્પાદન ક્ષેત્રમાં નવા સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવાની છે. આ કામમાં અમને ઇઝરાયેલ તરફથી પણ જરૂરી સહયોગ મળશે.
ઇઝરાયેલની ટેક્નોલોજીથી આગળ વધશે યુપી!
આ અવસરે સીએમ યોગીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સ્થપાયેલ ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ઈઝરાયેલ માટે રોકાણની તકોથી ભરપૂર છે. અમારી પાસે વિશાળ જમીન છે, પર્યાપ્ત માનવ સંસાધન છે. અમે સંરક્ષણ ઉત્પાદનમાં રસ ધરાવતી રોકાણકાર કંપનીઓને તમામ જરૂરી સંસાધનો પ્રદાન કરી રહ્યા છીએ. ઇઝરાયેલ માટે આ એક સારું પ્લેટફોર્મ છે. ઈઝરાયેલ પાસે ડ્રોન અને એન્ટી ડ્રોન ટેક્નોલોજીનો સારો અનુભવ છે. યુપી ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં રોકાણ માટે વિચારણા કરવી જોઈએ.