મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે દિલ્હીના બદરપુરમાં ભાજપે એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે કહ્યું કે, સાંજે 5 વાગ્યે અહીં આવવાનું હતું પરંતુ શાહીન બાગ પ્રદર્શનને લઇને મોડું થયું. તેમણે કહ્યું કે શાહીન બાગમાં પ્રદર્શનના નામ પર દિલ્હીમાં અવ્યવસ્થા ફેલાવવામાં આવી રહી છે.
દિલ્હી ચૂંટણી પ્રચારમાં યોગી આદિત્યનાથનું નિવેદન
શાહીનબાગ ધરણા કરીને અવ્યવસ્થા ફેલાવવાના પ્રયાસ
370 હટવાથી કેજરીવાલ અને રાહુલ ગાંધીને તકલીફ
પોતાના ભાષણમાં યોગી આદિત્યનાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, 370 હટવાથી કેજરીવાલ અને પાકિસ્તાનને સૌથી વધુ તકલીફ છે. તેમણે એમ પણ કહ્યું કે કેજરીવાલ શાહીન બાગમાં અસામાજિક તત્વોને સમર્થન આપી રહ્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, અરવિંદ કેજરીવાલને શાહીન બાગમાં બિરયાની ખવરાવવામાંથી સમય નથી મળતો.
કાંવડિયો પર હુમલો કરનારાઓને યોગીની સીધી ચેતવણી
રેલીને સંબોધિત કરતા યોગીએ કહ્યું કે, ભક્ત ક્યારેય હિંસા ફેલાવનારાનો ભરોસો નથી કરતા. અમે કાંવડિયોની સુરક્ષાની ગેરેંટી આપીશું. જો તમામ ધર્મ પોતાના હિસાબથી પૂજા-પાઠ કરી શકે છે તો કાંવડિયો પણ કરી શકે છે. પરંતુ જે લોકો કાંવડિયોનો વિરોધ કરે છે, તેમણે પોલીસની ગોળીઓનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે, બોલીનો નહીં, પોલીસની ગોળીનો સામનો કરવો પડશે.
370 હટવાથી કેજરીવાલ અને રાહુલ ગાંધીને તકલીફ
કલમ 370નો મુદ્દો ઉઠાવતા યોગીએ કહ્યું કે, દેશમાં બે લોકોએ કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો, એક રાહુલ ગાંધી અને બીજા અરવિંદ કેજરીવાલ. તેમને આનું સમર્થન કરવું જોઇતું હતું પરંતુ વિરોધ કર્યો. શાહીન બાગને લઇને તેમણે કહ્યું કે, શાહીન બાગમાં જે લોકો ધરણા પર છે, તેમને ઉદ્દેશ્ય કલમ 370 અને રામ મંદિર જન્મભૂમિનો વિરોધ કરવાનો છે. તેનું અસલી દુઃખ ત્રિપલ તલાક બિલ પાસ થવું છે.