યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પુલવામાના શહીદોને યાદ કરીને લખનૌમાં એક કાર્યક્રમમાં ભાવુક થઇ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. 'મન કી બાત' કાર્યક્રમ દરમિયાન જ્યારે યુવાનોએ પુલવામા આતંકવાદી હુમલાને લઇને સવાલ પૂછ્યા તો જવાબ આપતા સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રડી પડ્યા.
કાર્યક્રમ દરમિયાન એક યુવકને પૂછ્યું કે પુલવામા જેવી આતંકવાદી ઘટનાઓને હંમેશા માટે રોકવા માટે સરકારની શું રણનીતિ છે?
આના પર જવાબ આપતા સીએમ યોગીએ કહ્યું કે જે પ્રકારે દીવો ઓલવાતા સમયે ખુબ સળગે છે, એવું જ કંઇ આ સમયે આતંકવાદીઓનું પણ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની જેમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે યુવાનોના મનની વાત કાર્યક્રમની શરૂઆત કરી. યુવાઓ કે મન કી બાત કાર્યક્રમનું આયોજન લખનૌની એક કોલજ પરિસરના રામ પ્રસાદ બિસ્મિલ સભાગૃહમાં થયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સીએમ યોગીએ સભાગૃહમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા.
પુલવામાના સવાલ પર રડી પડ્યા સીએમ યોગી
એક યુવકે સીએમ યોગીને સવાલ પૂછ્યો કે પુલવામા ઘટના પર અમારી સરકારે ખુબ સારી રીતે જવાબ આપ્યો છે. પરંતુ હુમલો થાય છે તો કાર્યવાહી પણ થાય છે પછી થોડા સમય બાદ બધુ શાંત થઇ જાય છે. ત્યાર બાદ ફરી એ જ પ્રકારે પાકિસ્તાનની કરતૂતો શરૂ થઇ જાય છે. યુવકે સવાલ કર્યો કે સરકારની એવી શું રણનીતિ છે? જેનાથી આતંકવાદ અને આતંકવાદી ઘટનાઓનો જડમૂળમાંથી નાશ કરી શકાય. આ સમસ્યાને સંપૂર્ણ રીતે કેવી રીતે ખતમ કરી શકાય?