ભાજપ તરફથી લખનઉથી લઈ દિલ્હી સુધી નેતાઓની બેઠક શરૂ થઈ ગઈ છે
ઉત્તર પ્રદેશમાં હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારી
કેન્દ્રના નેતૃત્વમાં જ રાજ્યની લીડરશિપનો નિર્ણય લેવામાં આવશે
CM યોગી શ્રી રામ મંદિરને લઈ ઘેરાયા વિવાદોમાં
ઉત્તર પ્રદેશમાં હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારી
ઉત્તર પ્રદેશમાં હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બધા જ પક્ષોએ પોત પોતાની રીતે તૈયારી શરૂ કરી દીધી છે. બીજી બાજુ ભાજપ તરફથી લખનઉથી લઈ દિલ્હી સુધી નેતાઓની બેઠક શરૂ થઈ ગઈ છે. CM યોગીને પણ લઈ ઘણા બધા અનુમાન લગાવવવામાં આવી રહ્યા છે. ગયા અઠવાડિયે જ PM મોદી અને CM યોગીએ આ બાબતે મંત્રણા કરી હતી. આ સાથે જ ગૃહમંત્રી અમિતશાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
કેન્દ્રના નેતૃત્વમાં જ રાજ્યની લીડરશિપનો નિર્ણય લેવામાં આવશે
આ બધા વચ્ચે જ્યારે ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મોર્યને પૂછવામાં આવ્યું કે શું આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં CM યોગીને ચેહરો બનાવશે ભાજપ. ત્યારે તેના જવાબમા પોતે મૌન સેવી લીધું હતું. તેમણે કહ્યુંમ કે આ માટે કેન્દ્ર નિર્ણય લેશે અને કેન્દ્રના નેતૃત્વમાં જ બધુ કામ થશે. તેમણે કહ્યું કે યોગીજી અમારા CM છે અને અમારી પાર્ટીની એક જ પરંપરા છે કે કેન્દ્રના નેતૃત્વમાં જ રાજ્યની લીડરશીપનો નિર્ણય લેવામાં આવશે.
CM યોગી શ્રી રામ મંદિરને લઈ ઘેરાયા વિવાદોમાં
અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી ખરીદવામાં આવેલી જમીનમાં ઘોટાળાનો આરોપ લાગી રહ્યો છે. આ આરોપ આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહ અને અયોધ્યાના પૂર્વ ધારાસભ્ય અને સમાજવાદી પાર્ટીના નેતા પવન પાંડેએ લગાવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ જમીનનો સોદો પહેલા 2 કરોડ રુપિયામાં નક્કી થયો હતો. પરંતુ હવે આને 18.50 કરોડ રુપિયામાં ખરીદવામાં આવી છે. મીડિયા સમાચારો અનુસાર વિવાદ વધતો જોતા સીએમ યોગીએ સોમવારે અયોધ્યાના ડીએમ અને કમિશ્નર પાસે સંપૂર્ણ વિવરણ માંગ્યુ છે. અધિકારીઓએ તેમને સંપૂર્ણ જાણકારી આપી છે. જમીનની સાથે જોડાયેલા કાગળો બતાવવામાં આવ્યા છે. મનાઈ રહ્યુ છે કે યોગી આદિત્યનાથ જાણકારીથી સંતુષ્ટ છે.