ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે અયોધ્યામાં ભગવાન રામની કોદંડ પ્રતિમાનું અનાવરણ કર્યું. આશરે 7 ફુટ ઊંચી કોદંડ રામની આ પ્રતિમાનું ખાસ મહત્વ રહેલું છે. રામની આ પ્રતિમા કર્નાટકમાં બનાવવામાં આવી છે. આ રામ પ્રતિમા કિંમતથી લઇને તેના ઉપયોગ સુધી લઇને તેનું લાકડું પણ ખાસ મહત્વતા ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, આ રામ પ્રતિમાની ખાસિયત એ છે કે, તેને ટીક વૂડથી બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર ભગવાન શ્રી રામની આ મૂર્તિ લાકડાના એક પીસમાંથી તૈયાર કરવામાં આવી છે.
Chief Minister Yogi Adityanath unveils a statue of Lord Ram at Ayodhya Shodh Sansthan pic.twitter.com/RWKBhDafpJ
દક્ષિણ ભારતમાં ભગવાન રામના કોદંડ સ્વરૂપની પૂજા કરવામાં આવી છે. શ્રી રામની આ મૂર્તિ પણ ધનૂષ ધારણ કરેલ નજરે આવે છે. ભગવાન રામના ધનૂષને કોદંડના નામથી ઓળખવામાં આવે છે. માન્યતા મુજબ જ્યારે શ્રી રામ માતા સીતાની શોધમાં દક્ષિણ ભારત પહોંચ્યા હતા ત્યારે વનવાસી રૂપે તેમના હાથમાં ધનુષ કોદંડ છે.
ભગવાન શ્રી રામની આ મૂર્તિને કળાના એક બેજોડ નમૂના તરીકે જોવામાં આવે છે. આ મૂર્તિની ઊંચાઇ આશરે 7 ફુટ છે જે 35 લાખ રૂપિયામાં અયોધ્યાના મ્યૂઝિયમ માટે ખરીદવામાં આવેલ છે.