ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માનવતાનું ઉદાહરણ પૂરું પાડતો એક કિસ્સો સામે આવ્યો છે. જેની આજે ખૂબ ચર્ચા થઈ રહી છે.
CM Yogi Adityanath એ દર્શાવ્યું માનવતાનું ઉદાહરણ
કફલાની પાછળ આવતી એમ્બ્યુલન્સનની સાયરન સાંભળી
કાફલાને જવા માટેનો માર્ગ કરી આપ્યો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની માનવતા બતાવી છે. જે કિસ્સાની આજે ઘણી જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ગુરુવારે, રાજધાનીમાં તેમણે પોતાના કાફલાને રોક્યો હતો અને એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો.
આ માટે તેણે રાજભવ ગેટ નંબર બેની સામે રસ્તાના કિનારે પોતાનો કાફલો રોક્યો હતો અને એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો. એમ્બ્યુલન્સમાં એક દર્દી હતો અને તે કેન્ટ બ્રિજ તરફ જઈ રહી હતી. પહેલા એમ્બ્યુલન્સને રસ્તો આપીને બહાર કાઢવામાં આવી, ત્યારબાદ જ તેમનો કાફલો આગળ વધ્યો હતો.
રસ્તા પર અવરજવર બંધ હતી
હકીકતમાં, સીએમ યોગી ગુરુવારે સાંજે લગભગ 5:30 વાગ્યે રાજધાનીના હઝરતગંજ સ્થિત બીજેપી રાજ્ય મુખ્યાલયથી CM આવાસ જવા માટે નીકળ્યા હતા. આ સમયે તેમનો કાફલો પણ સાથે જ હતો.
મુખ્યમંત્રી યોગી અને તેમના કાફલાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હઝરતગંજ ચારરસ્તાથી રાજભવન અને અન્ય માર્ગો પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. સીએમ યોગીનો કાફલો હઝરતગંજ ઈન્ટરસેક્શનથી રોવર્સ રોસ્ટોરન્ટ થઈને રાજભવન પહોંચ્યો કે તરત જ પાછળથી એક એમ્બ્યુલન્સ સાયરન વગાડતી આવી રહી હતી.
જ્યારે CM Yogi Adityanath એ એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ સાંભળ્યો, તો પાછળ ફરીને તેમણે સુરક્ષા કર્મચારીઓને તેમના કાફલાને સાઇડમાં રોકવા માટે કહ્યું હતું.
આ સાથે એમ્બ્યુલન્સને આગળ લઈ જવાની સૂચના પણ આપી હતી. સીએમની સૂચના પર, વાહનો ઉતાવળે સાઇડમાં ખસ્યા હતા અને એમ્બ્યુલન્સને રસ્તો કરી આપવામાં આવ્યો. એમ્બ્યુલન્સ જતાની સાથે જ તેમના કાફલાને લઈ અને સીએમ યોગી આદિત્યનાથ તેમના નિવાસસ્થાને રવાના થયા.
DCP ટ્રાફિકે જણાવ્યું કે સીએમ સાહેબની સૂચના હતી
જ્યારે સીએમ યોગીએ એમ્બ્યુલન્સને ખાલી કરવાની સૂચના આપી ત્યારે ડીસીપી ટ્રાફિક સુભાષ ચંદ્ર શાક્યએ જણાવ્યું કે એમ્બ્યુલન્સ સીએમના કાફલાની પાછળ હઝરતગંજ બાજુથી આવી રહી હતી. સીએમ સાહેબની સૂચના પર, તેમના કાફલાને રોક્યા પછી એમ્બ્યુલન્સને પહેલા બહાર કાઢવામાં આવી. જે બાદ સીએમ યોગી આદિત્યનાથ તેમના નિવાસસ્થાને રવાના થયા હતા.