યોગી આદિત્યનાથ શુક્રવારે સતત બીજી વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જે બાદ નવા મંત્રીઓ સાથે મંત્રીમંડળની બેઠક પણ યોજાઈ હતી.
યોગી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળી
પ્રથમ બેઠકમાં જ મોટો નિર્ણય
યુપીનીા 15 કરોડની જનતાને 3 મહિના સુધી રાહત
યોગી આદિત્યનાથ શુક્રવારે સતત બીજી વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. એટલું જ નહીં, આ દરમિયાન યોગી સાથે બે નાયબ મુખ્યમંત્રી સહિત કુલ 52 મંત્રીઓ, સ્વતંત્ર પ્રભારવાળા રાજ્યમંત્રીઓ અને રાજ્યમંત્રીઓ પણ શપથ લીધો હતો. તો વળી શનિવારે સવારે 10 વાગ્યે સીએમ યોગીએ પ્રથમ કેબિનેટ બેઠક કરી, જેમાં મફત રાશન યોજના પર પણ ચર્ચા કરી હતી. તો વળી આ વાતચીત દરમિયાન સીએમ યોગીએ કહ્યું કે, આજે કેબિનેટની બેઠકમાં અમે મફત રાશન યોજના આગામી 3 મહિના સુધી લંબાવાનો નિર્ણય કર્યો છે. તેનાથી રાજ્યની 15 કરોડ જનતાને મોટો ફાયદો થશે.
In the cabinet meeting today, we have decided to extend the free ration scheme for the next 3 months. It will benefit 15 crore people of the state: Uttar Pradesh CM Yogi Adityanath in Lucknow pic.twitter.com/Dru9fXwDPJ
આપને જણાવી દઈએ કે, શુક્રવારે યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારંભમાં પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપબી નડ્ડા સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓ અને કેટલાય રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થયા હતા. ઈકાના સ્ટેડિયમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે 49 વર્ષિય યોગી આદિત્યનાથને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. આપને જણાવી દઈએ કે, શપથ લેનારામાં બે નાયબ મુખ્યમંત્રી સહિત 18 કેબિનેટ મંત્રી, સ્વતંત્ર પ્રભારવાળા 14 રાજ્ય મંત્રી અને 20 રાજ્ય મંત્રી સામેલ છે.
બે નાયબ મુખ્યમંત્રી પણ બનાવ્યા
કેશવ પ્રસાદ મૌર્યે સતત બીજી વાર નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા, જ્યારે ગત સરકારમાં કાયદા મંત્રી રહેલા બ્રજેશ પાઠકને પહેલી વાર નાયબ મુખ્યમંત્રી બનાવામાં આવ્યા છે. યોગીની ગત સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા દિનેશ શર્માને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વિધાનસભા ચૂંટણીમાં કૌશાંબી જિલ્લાની સિરાથૂ સીટથી હાર ચુકેલા કેશવ પ્રસાદ મૌર્યને હાલ વિધાન પરિષદના સભ્ય છે. બ્રજેશ પાઠક લખનઉ કેંટ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.