દેશમાં ફરીવા મોદી સરકાર બનતા જ તેઓ એક્શન મોડમાં દેખાયા હતા. નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા ભ્રષ્ટાચારમાં સપડાયેલા અધિકારીઓને નિવૃત કરાવ્યા હતા. આ નિર્ણય બાદ હવે ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથ પણ મોદીના નક્શે કદમ પર આગળ વધી રહ્યા છે. તેમણે પણ સચિવાયલમાં કામ કરતા અધિકારીઓની એક યાદી તૈયાર કરાવી છે. શું છે સમગ્ર મામલો?
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મોદીના નક્શે કદમ પર ચાલી રહ્યા છે. નરેન્દ્ર મોદીની સેકન્ડ ઈનિંગ શરૂ કરતાની સાથે જ એક્શન મોડમા દેખાયા હતા. તેમણે સરકારી બાબુઓ પર તવાઈ બોલાવી હતી. તેમણે ભ્રષ્ટાચારના આરોપ લાગેલા અને અન્ય કોઈપણ ગુનામાં સંડોવાયેલા લોકોને નિવૃત થવા ફરજ પાડી હતી.
તેમણે આદેશ આપીને VRS લેવડાવી દીધું હતું. આ કાર્યવાહી બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ પ્રભાવિત થયા હતા. તેમણે પણ આ દિશામાં કામગીરી શરૂ કરી છે. તેમણે પોતાના મંત્રીઓને સચિવાલયમાં કામ કરતા અધિકારીઓનું લિસ્ટ તૈયાર કરવાનો આદેશ કર્યો છે.
આ લિસ્ટમાં ભ્રષ્ટ અધિકારીઓ અને સરખું કામ ન કરતા હોય કે, ફરજ પર સમયે હાજર ન રહેતા રેઢીયાળ અધિકારીઓ પર વોચ રાખવા કહ્યું છે. આ તમામ અધિકારીઓને તેઓ જાતે જ આદેશ આપશે કે તેઓ સ્વયંમ નિવૃતી લઈ લે. જો આમ નહીં કરે તો તેમના પર કાયદાકીય કાર્યવાહી કરાશે. યોગીનો મૂળ હેતુ એ છે કે, ભ્રષ્ટ અધિકારીઓ તંત્રમાં ન હોવા જોઈએ અને આ કાર્યવાહી નરેન્દ્ર મોદીએ પહેલા કરી હતી.
આ આદેશ બાદ સરકારને બે પ્રકારના ફાયદા થાય છે. એક ફાયદો એ થાય છે કે, સરકારમાંથી ભ્રષ્ટ અને કામચોર અધિકારીઓ દૂર થશે અને સરળતાથી કામ થશે. જ્યારે અન્ય અધિકારીઓ પણ આ રીતની કાર્યવાહીથી ગભરાઈને ખોટું કરતા હજાર વાર વિચારશે.
દેશભરમાં ગુજરાત મોડલની વાજતે ગાજતે જાહેરાત કરાય છે. ત્યારે નરેન્દ્ર મોદીના સરકારી બાબુઓ પરના નિર્ણય બાદ યોગી સરકાર તુરંત જાગ્યા છે અને તેમણે મોદીના પગલે જઈને યુપીમાં આદેશ આપી દીધા છે. ત્યારે હવે સવાલ એ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી આ રીતની કાર્યવાહી ક્યારે કરશે.