ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓ પર આચાર સંહિતા ભંગ મામલે ચૂંટણી પંચે 72 કલાકનો ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે ચૂંટણી પંચે લગાવેલા પ્રતિબંધ બાદ યોગી આદિત્યનાથે નવો રસ્તો શોધી કાઢ્યો છે. સીએમ યોગી હનુમાન સેતુ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે.
લોકસભા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન વધતા નિવેદનબાજી પર ઈલેક્શન કમિશને લાલ આંખ કરી છે. જેમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓ પર આચાર સંહિતા ભંગ મામલે ચૂંટણી પંચે 72 કલાકનો ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે ચૂંટણી પંચે લગાવેલા પ્રતિબંધ બાદ યોગી આદિત્યનાથે નવો રસ્તો શોધી કાઢ્યો છે.
યોગી આદિત્યનાથે હવે હનુમાન ચાલીસા પઢવાનો નિર્ણય લીધો છે. સીએમ યોગી હનુમાન સેતુ મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. જો કે અગાઉના કાર્યક્રમ મુજ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેવાના હતા પરંતુ ઉપસ્થિત રહી શક્યાં નહોતાં. આ પહેલા ચૂંટણી પંચે બસપાના અધ્યક્ષા માયાવતી પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હનુમાન સેતુ મંદિરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની ઉપસ્થતિમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગ દ્વારા યોગીના ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે જેમાં તેમના પ્રતિબંધમાં મંદિરમાં જવાનું સામેલ નથી. એવામાં યોગી આદિત્યનાથ મંદિરમાં જઇ શકે છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને લખનઊ બેઠકથી ભાજપના ઉમેદવાર રાજનાથસિંહ આજરોજ પોતાનું ફોર્મ ભરશે. કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ ગઇકાલે સાંજથી લખનઉ પહોંચી ગયા છે. આમ ચૂંટણી આયોગ તરફથી લગાવામાં આવેલા પ્રતિબંધને લઇને યુપીના સીએમ યોગી આદિત્યનાથ 16,17 અને 18 એપ્રિલ તેમજ માયાવતી 16 અને 17 એપ્રિલ સુધી ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં.