ચૂંટણીમાં થયેલા ખરાબ પ્રદર્શનને લઈ પાર્ટી હાઈકમાન્ડ પણ આગામી ચૂંટણીને લઈને સજાગ થઈ ગયું છે
સાડા ચાર વર્ષ પછી પહેલી વાર CM યોગી DY CM કેશવ મોર્યના ઘરે ગયા
હાઈકમાન્ડ પણ આગામી ચૂંટણીને લઈને સજાગ
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે સ્પષ્ટતા કરી હતી
સાડા ચાર વર્ષ પછી પહેલી વાર CM યોગી DY CM કેશવ મોર્યના ઘરે ગયા
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અચાનક યુપીના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યને મળવા માટે તેમના ઘરે પહોંચી ગયા છે. લગભગ સાડા ચાર વર્ષ પછી પહેલી વાર CM યોગી આદિત્યનાથ ડેપ્યુટી CM કેશવ મોર્યના કાલિદાસ માર્ગ સ્થિત ઘરે ગયા છે. માનવામાં આવે છે કે કેશવ મોર્યના ઘરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કૃષ્ણ ગોપાલ પહેલેથી હાજર છે. CM યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી CM કેશવ પ્રસાદ બંને વચ્ચે મન મોટાવ ચાલી રહ્યા છે તે વાત પહેલેથી જાહેર છે અને આ સમગ્ર મામલો હવે દિલ્હી દરબારમાં પહોંચ્યો છે. ચૂંટણીમાં થયેલા ખરાબ પ્રદર્શનને લઈ પાર્ટી હાઈકમાન્ડ પણ આગામી ચૂંટણીને લઈને સજાગ થઈ ગયું છે.
હાઈકમાન્ડ પણ આગામી ચૂંટણીને લઈને સજાગ
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટીના કોર કમિટીના સભ્યો આજે કેશવપ્રસાદ મોર્યના ઘરે લંચ માટે જવાના હતા. આ લંચમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કૃષ્ણ ગોપાલ પણ સામેલ થવાના છે. એક તરફ ભાજપના મહામંત્રી બી એલ સંતોષ અને પ્રદેશ પ્રભારી રાધામોહન સિંહ લખનઉ પાર્ટી કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા છે અને આગામી ચૂંટણી માટેની રણનીતિ બનાવી રહ્યા છે. સાથે જ બીજી બાજુ મુખ્યમંત્રી તરીકે કોને લાવવામાં આવશે તે પ્રશ્ન હજી યથાવત છે. કેશવપ્રસાદ કહી ચૂક્યા છે કે CMના પદ માટે કોણ આવશે તે કેંદ્રમાંથી જ નક્કી કરવામાં આવશે.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે સ્પષ્ટતા કરી હતી
ઉત્તરપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ સરકાર અને સંગઠન ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. એવી ચર્ચા પણ છે કે યોગી આદિત્યનાથના કામકાજથી પાર્ટીના કેટલાક નેતા અસંતુષ્ટ છે. આ ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે સ્પષ્ટતા કરી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથ જ ભાજપમાંથી CM પદના ઉમેદવાર હશે.. અત્યાર સુધીના કાર્યકાળમાં તેમને જે કામ કર્યું છે તેના પર કોઈ સવાલ ન ઉઠાવી શકાય. રાજનાથસિંહે કહ્યું કે કોરોનાગ્રસ્ત થયા બાદ પણ યોગી આદિત્યનાથે ઓનલાઈન કામ કર્યું.. અને 2022ની ચૂંટણીમાં ભાજપ તરફથી તે જ CM પદનો ચહેરો હશે.