ઉત્તર પ્રદેશમાં વધી રહેલા રોડ અકસ્માતને લઇને યોગી સરકાર આવી એક્શનમાં. અધિકારીઓને 24 કલાકનું આપી દીધુ અલ્ટીમેટમ, માફિયાઓ સામે પણ કરી લાલ આંખ
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ એક્શનમાં
24કલાકમાં ગેરકાયેદ બસ-ટેક્સી સ્ટેન્ડ હટાવવા આદેશ
ગેરકાયદે સ્ટેન્ડ ન હટાવનાર સામે થશે મોટી કાર્યવાહી
ઉત્તર પ્રદેશમાં થઇ રહેલા માર્ગ અકસ્માતને લઇને સીએમ યોગી આદિત્યનાથ એક્શનમાં આવ્યા છે. બુધવારે રોડ સેફ્ટીને લઇને યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેઓએ અધિકારીઓને 24 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું છે. તેમણે કહ્યં કે રાજ્યમાં કોઇ પણ ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડ ચાલવું ન જોઇએ.24 કલાકમાં જ આવા ગેરકાયદેસર સ્ટેન્ડને હટાવી દેવામાં આવે. હાઇવે, એક્સપ્રેસ વે, સ્ટેટ હાઇવે કે કોઇ પણ જગ્યાએ ક્યાંય પણ ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડ ન હોવા જોઇએ.
માફિયાઓની કમર તોડી નાંખો- યોગી
તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું કે કોન્ટ્રાક્ટમાં કોઇ પણ માફિયા પ્રવૃત્તિના વ્યક્તિને ન સામેલ કરવામાં આવે. જો એક પણ માફિયા તેમાં જોડાશે તો તે જગ્યાને ગેરકાયદેસર અને અનૈતિક ગતિવિધીઓનો અડ્ડો બનાવી દેશે. તેઓએ અધિકારીઓને કહ્યું કે માફિયાની કમર તોડી નાંખો. જો તેની આર્થિક સ્થિતિ મજબૂત હશે તો તમારુ જીવવુ હરામ કરી દેશે. માફિયાની તમામ આર્થિક ગતિવિધીઓ બ્લોક કરી નાંખો.
'ગેંગસ્ટર એક્ટ હેઠળ સંપત્તિ કરાશે જપ્ત'
કોઇ પણ રસ્તા પર, ચાર રસ્તા, હાઇવે, સ્ટેટ હાઇવે, એક્સપ્રેસ વે હોય કે કોઇ પણ અન્ય સ્થળ હોય તો ગેરકાયદેસર બસ સ્ટેન્ડ, ટેક્સી સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ કે કોઇ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલવી ન જોઇએ. સ્ટેન્ડનો મતલબ કે રસ્તાના કિનારા પુરતા પ્રમાણમાં પાર્કિંગની સુવિધા હોય, ટોયલેટની સુવિધા હોય, પે જળ હોય સહિતની સુરક્ષા, બેઠક વ્યવસ્થા હોય. પ્રશાસનની અનુમતિ લઇને સ્ટેન્ડની ફી વસૂલી શકે છે પરંતુ રસ્તા પર જો કોઇ ગેરકાયદે સ્ટેન્ડ બનાવે છે તો આવી પ્રવૃત્તિ 24 કલાકમાં બંધ થવી જોઇએ. અને જો કોઇ વ્યક્તિ સતત આ પ્રકારની કામગીરી કરતુ હોય તો તેની પર ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તેની તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવે.
'सड़क सुरक्षा' के संबंध में वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से संवाद... https://t.co/bI71ILDSbq
રસ્તાની સાઈડમાં વાહનો ઉભા ન રહેવા જોઈએ - યોગી આદિત્યનાથ
રોડ સેફ્ટી અંગે વિડિયો કોન્ફરન્સિંગ દરમિયાન સીએમ યોગીએ કહ્યું કે યુપીમાં અકસ્માતોને રોકવા માટે ગૃહ વિભાગ અને વાહનવ્યવહાર વિભાગની જવાબદારી છે કે વાહનો રોડની બાજુમાં પાર્ક ન કરવા જોઈએ, કારણ કે આ વાહનો અકસ્માતોનું કારણ બને છે. જ્યાં પણ રસ્તાઓ પર ધોરણ વિરૂદ્ધ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હોય તેને તાત્કાલિક દૂર કરવા જોઈએ. ટેબલ ટોપ સ્પીડ બ્રેકર ન બનાવવા જોઈએ. તેમણે કહ્યું કે સ્પીડ બ્રેકરને કમર તોડ ન બનાવાવમાં આવે. આવા સ્પીડ બ્રેકર બીમાર વ્યક્તિઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે જોખમી બની શકે છે. .
સ્ટંટમેન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે સ્વ-સેવા જૂથોની મદદથી, રાજ્યમાં જાગૃતિ અભિયાન ચલાવો અને હોર્ડિંગ્સ લગાવીને તેમને જાગૃત કરો. આ પછી, જેઓ પાલન ન કરે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. સ્ટંટમેન સામે કડકાઈ અપનાવવામાં આવી છે. તેણે કહ્યું કે રોડ સ્ટંટ કરવાની જગ્યા નથી. અધિકારીઓએ આવા કૃત્યો કરનારાઓ સામે પગલાં લેવા જોઈએ. ગૃહ વિભાગ અને વાહનવ્યવહાર વિભાગને અલગ-અલગ જગ્યાએ માર્કેટ, ટર્ન અને સ્પીડ લિમિટ લખવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ કાયદેસર ખનન અને ઓવરલોડિંગ વાહનોને રોકવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. યોગીએ કહ્યું કે રાજ્ય માર્ગ પરિવહન નિગમ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે જેને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવી રહ્યું છે તે વ્યક્તિને ટ્રેક પર વાહન ચલાવડાવીને જોવામાં આવે.