આજે શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિધાનસભા ચૂંટણી માટે ગોરખપુર શહેર સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
યોગી આદિત્યનાથે ગોરખપુર શહેર સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યુ
રાજ્યના અનેક સાધુ સંતોની હાજરીમાંથી ભર્યુ ઉમેદવારી પત્ર
અમિત શાહ ખાસ યોગી માટે આવ્યા
આજે શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિધાનસભા ચૂંટણી માટે ગોરખપુર શહેર સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. ગોરખપુર શહેર સીટથી ઉમેદવારી કરતા પહેલા યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથએ એક જાહેર સભાને સંબોધન કરી હતી.
ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યા પહેલા રાજ્યમંત્રી સોનમ કિન્નરે પોતાના સાથીઓ સાથે મુગટ અને માળા સાથે યોગી આદિત્યનાથનું સ્વાગત કર્યું હતું. સીએમને તિલક કરવા માટે સવા કિલો સોનાના થાળ અને કામખ્યા માંનું કંકુ લઈને આવી હતી. આ દરમિયાન તેમણે યોગી આદિત્યનાથને જીતના આશીર્વાદ પણ આપ્યા હતા. એક મીડિયા સાથે વાત કરતા સોનમ કિન્નરે કહ્યું હતું કે, યોગી આદિત્યનાથ અહીંથી લાખો મતોથી જીતશે. તેમણે પોતાના સાથીઓ સાથે મળીને શુભકામના ગીતો પણ ગાયા હતાં.
#WATCH | Accompanied by Union Home Minister Amit Shah, Uttar Pradesh CM Yogi Adityanath files nomination papers as a BJP candidate from Gorakhpur Urban Assembly constituency pic.twitter.com/BYzpDtVmlS
આ હાઈપ્રોફાઈલ સીટ પર સીએમ યોગીના નામાંકનને લઈને સુરક્ષા પણ ખાસ કડક કરવામા આવી હતી. આ દરમિયાન કાર્યાલયમાં આતંક વિરોધી ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી હતી. ઉમેદવારી પહેલા યોગી આદિત્યનાથે જાહેરસભાને સંબોધન કરતા કહ્યું હતું કે, રાજ્યમાં પાંચ વર્ષ દરમિયાન ડબલ એન્જીનની સરકારે તમામની અપેક્ષાઓ પર ઉતરવાનું કામ કર્યું છે. આજે પ્રદેશમાં કોઈ રાજકીય પાર્ટી ભાજપના કામને ખરાબ કહી શકે નહીં. સાથે જ તેમણે કહ્યું કે, આપણને બધાને ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીનું સાનિધ્ય મળી રહ્યું છે.
યોગી આદિત્યનાથના નામાંકનના પ્રસ્તાવકોમાં પણ ભાજપે જાતિગત સમીકરણનું ખાસ ધ્યાન રાખ્યું છે. યોગી આદિત્યનાથના ચાર દલિત, બ્રાહ્મણ, કાયસ્થ અને વૈશ્ય સમાજના લોકો છે. તેમાં રવિદાસ મંદિરના અધ્યક્ષ વિશ્વનાથ, ખ્યાતનામ શિક્ષણવિનદ મયંકેશ્વર પાંડેય, ડોક્ટર મંગલેશ શ્રીવાસ્તવ અને સુરેન્દ્ર અગ્રવાલ શામેલ છે.
ઉમેદવારી પત્ર ભરવા માટે રાજ્યના કેટલાય સાધુ સંતો પણ ગોરખપુર પહોંચ્યા હતા. સાધુ સંતોએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. ઉમેદવારી પૂર્વે થયેલી જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પણ કોરોના પ્રોટોકોલના કારણે 1000 લોકો જ જમા થઈ શક્યા હતા. જો કે, લાઈવ પ્રસારણના માધ્યમથી અન્ય લોકએ યોગી આદિત્યનાથ અને અમિત શાહનું ભાષણ સાંભળ્યું હતું.