દેશભરમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં પણ સ્થિતિ વણસેલી છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અગત્યના નિર્ણયો લીધા હતા.
કોરોના સંકટ વધતા યોગી સરકાર એક્શનમાં
10 જિલ્લાના રાત્રિ કર્ફયૂના સમયમાં કર્યો ફેરફાર
રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા હાથ ધરાયા પ્રયાસ
યોગી સરકારે રાજ્યના 10 જિલ્લામાં રહેલા નાઇટ કર્ફ્યૂના સમયગાળામાં ફેરફાર કર્યો છે. જ્યાં દરરોજ 2000થી વધુ કેસ આવતા હતા. આ જિલ્લાઓમાં રાતે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે.
મંજૂરી નથી તે લોકો નહીં નીકળી શકે બહાર
આ દરમિયાન કડક નિયમ લાગુ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તો એવા લોકોને જ ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે. જેમને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે.
હોસ્પિટલો માટે આપવામાં આવ્યા આ નિર્દેશ
આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજધાની લખનઉમાં અન્ય જિલ્લાના દર્દીઓનું આગમન સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં અહીં અતિરિક્ત વ્યવસ્થા કરવાની જરૂર છે. કેજીએમયુ અને બલરામપુર હોસ્પિટલને સંપૂર્ણપણે કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવા જણાવ્યું છે. જો કે, આ સમય દરમિયાન, બિન-કોવિડ દર્દીઓની સુવિધાની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે લખનઉમાં ટી.એસ.મિશ્રા હોસ્પિટલ, ઇન્ટિગ્રલ અને હિંદ મેડિકલ કોલેજોની ક્ષમતા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે વધારવાની જરૂર છે. પછીનાં બે દિવસ અહીં વધારાના પલંગ પૂરા પાડવા જોઈએ.
10 મે બાદ પરીક્ષા પર મંથન
મુખ્યમંત્રીએ કોવિડ સંક્રમણને ધ્યાનમાં રાખીને 12 મા ધોરણ સુધીની શાળાઓમાં 15 મે સુધી અભ્યાસ મોકૂફ રાખવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. 20 મી મે પછી માધ્યમિક શિક્ષણ પરિષદની 10 મી અને 12 મી પરીક્ષાઓ યોજવા સૂચના આપવામાં આવી છે. નવું સમયપત્રક મેના પ્રથમ અઠવાડિયામાં ધ્યાનમાં લેવામાં આવશે.
પ્રવાસીઓ માટે બનશે ક્વોરન્ટાઇન સેન્ટર
મુખ્યમંત્રીએ કોવિડ-19ના ફેલાતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કોવિડ પ્રોટોકોલ મુજબ વિવિધ રાજ્યોમાંથી સ્થળાંતર કરનારા શ્રમિકોની વાપસી પર જિલ્લાઓમાં એક ક્વોરેન્ટાઇન સેન્ટર ચલાવવા નિર્દેશ પણ આપ્યો હતો. તબીબી સુવિધાઓની સાથે ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં, ખોરાક / ઊંઘવાની યોગ્ય વ્યવસ્થા વગેરે સુનિશ્ચિત કરવામાં આવશે.