નરેશ પટેલના રાજકારણમાં જોડાવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેશ પટેલ CM ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી શકે છે
નરેશ પટેલના રાજકારણમાં જોડાવા મામલે મોટા સમાચાર
મુખ્યમંત્રી સાથે નરેશ પટેલ કરી શકે છે બેઠક
CM સાથેની બેઠક બાદ નરેશ પટેલ લઈ શકે છે રાજકારણનું સ્ટેન્ડ
પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેશ પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી શકે છે. આ બેઠકમાં નરેશ પટેલની સાથે પાસના આગાવેનો પણ સામેલ થાય તેવી વિગતો સામે આવી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલનના સમયે પાટીદાર યુવાનો સામે થેલા કેસો પાછા ખેંચવામાં આવશે કે તેમ તેને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. આમ CM સાથેની અંતિમ ચર્ચા બાદ નરેશ પટેલ રાજકારણનું સ્ટેન્ડ અંગે લઈ શકે મહત્વનો નિર્ણય.
નરેશ પટેલે હોળી બાદ રાજકીય પ્રવેશ અંગે નિવેદન આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે, રાજકીય પાર્ટીમાં જોડાવવા મુદ્દે આજે નરેશ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મેં હજુ કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સમાજને પૂછીને આ અંગેને કોઈ નિર્ણય લઈશ. તેમજ ભાજપના લોકો આવશે તો વિચારીશું. ભાજપના લોકો આવશે તેની મને ખબર નથી. રાજકારણમાં પ્રવેશ કરવો તે મોટો નિર્ણય છે. હું મારા સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છું. તેમજ અગામી હોળીના તહેવાર બાદ એટલે કે, 20 થી 30 માર્ચ દરમિયાન તેઓના રાજકીય પ્રવેશ અંગ ખબર પડશે.
વિવિધ પક્ષો દ્વારા પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું
મહત્વનું છે કે, નરેશ પટેલે તાજેતરમાં દિલ્હીની ઉડતી મુલાકાત લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવા માટેની પૂર્વભૂમિકા લગભગ તૈયાર હોય તેવું લાગી રહ્યું છે, જેથી હોળી પછી કઈંક નવા-જૂની થવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. તો બીજી તરફ નરેશ પટેલને ભાજપના જોડાવવા અંગે ભાજપના નેતાઓએ કમર કસી છે. પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ આજે નરેશ પટેલને સત્તાવાર જોડાવાનું આમંત્રણ આપવા અંગેની જાહેરાત કરી હતી.