ઉદ્યોગપતિ પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાની આર્થિક મદદ અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત બહુ મોટા વિસ્તારમાં જળસંગ્રહ થઈ રહ્યો છે
CM લાઠી તાલુકાની મુલાકાતે
જળસંચય અભિયાનની કરી સમીક્ષા
જળસંચય અભિયાનથી CM પ્રભાવિત
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંચયની યોજનાથી આ વિસ્તારોની કાયાપલટ થઈ ગઈ છે. ત્યારે આ કામગીરી નિહાળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વિવિધ ગામોની મુલાકાતે પહોંચ્યા હતા.
લાઠી તાલુકાના દુધાળા, કેરીયા અને હરસુરપુર દેવળીયા ખાતે સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલ જળસંચયની કામગીરીની સમીક્ષા કરી હતી અને આ કામગીરીથી પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે સવજીભાઈ ધોળકીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દુધાળા ખાતે આવેલી હેતની હવેલી ખાતે તેઓએ સ્થાનિકો સાથે બેઠક યોજી હતી.
સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ચોમાસા પહેલા જનસહયોગ દ્વારા તળાવો ઊંડા કરવાની સુંદર કામગીરી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. આજે અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહેલ તળાવ ઊંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું. pic.twitter.com/YZv5j4IP27
મોટા વિસ્તારમાં જળસંગ્રહનું જોરદાર આયોજન
લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચેક વર્ષથી થઈ રહેલી જળસંચય ની અદ્ભુત કામગીરી ના કારણે આ વિસ્તારની જાણે કે કાયાપલટ થઈ ગઈ છે, ઉધ્યોગપતિ પદ્મશ્રી સવજી ધોળકીયાની આર્થિક મદદ અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત બહુ મોટા વિસ્તારમાં જળસંગ્રહ થઈ રહ્યો છે. આ કામગીરી નિહાળવા માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા હતા. સવજીભાઈ ધોળકીયા સાથે તેઓએ જળસંગ્રહ માટે થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને ખુશી વ્યક્ત કરી હતી. દુધાળા ખાતે આવેલી હેતની હવેલી ખાતે તેઓએ ગ્રામજનો સાથે નાનકડી મુલાકાત કરી હતી અને આ કામગીરી ની પ્રશંસા કરવાની સાથે જન આશીર્વાદ માગ્યા હતા.
'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત લાઠી અને લીલીયા તાલુકાના ૭૫ ગામોમાં નેત્ર ચિકિત્સાની સુવિધા મળે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા 'નેત્રયજ્ઞ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારની સાથે ખભેખભા મિલાવી સેવાનું આ કાર્ય હાથ ધરવા બદલ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ સૌને બિરદાવું છું. pic.twitter.com/3Ram4Pe2Cu
આ પ્રકારની કામગીરી સમગ્ર ગુજરાતમાં થાય તેવા આદેશ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની આ મુલાકાત અંગે વાત કરતાં સવજીભાઈ ધોળકીયા એ જણાવ્યું હતું કે લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા જળસંચય અભિયાન થી મુખ્યમંત્રી અત્યંત પ્રભાવિત થયા હતા અને તેમની સાથે રહેલા અધિકારીઓ ને સુચના પણ આપી હતી કે આ પ્રકારની કામગીરી સમગ્ર ગુજરાતમાં થાય તો જમીનની પાણી ઉંચા આવી શકે છે. અમરેલી જીલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની કામગીરી થઈ રહી છે પરંતુ લાઠી તાલુકામાં થયેલી કામગીરી નમુનારૂપ છે, આજે મુખ્યમંત્રી ની આ મુલાકાત થી અમરેલી જિલ્લાના લોકો ને જળસંચય અભિયાનમાં બળ મળશે.