રાજકોટ: મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. રાજકોટમાં મુખ્યમંત્રી મહાનગરપાલિકા સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે.
નોંધનીય છે કે હાલ સેવા સેતુ કાર્યક્રમનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર નિવારણ લાવવામાં આવે છે. તો આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી 287 અસરગ્રસ્ત લાભાર્થીઓને જમીન વિતરણ કરશે. અને આજી IDCમાં 7 કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરશે.
જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગરમાં આ અંતર્ગત સચિવાલય ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી જનસંપર્ક એકમ બ્લોક 1 નવા સચિવાલય ખાતે જનફરિયાદ કાર્યક્રમ યોજાશે. જેમાં ડે. સીએમ નીતિન પટલે નાગરિકો-પ્રજાજોની રજૂઆત સાંભળશે.