ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રુપાણી અમદાવાદની મુલાકાતે આવવાના છે ત્યારે અમદાવાદમાં થયેલા સરકારી કામોનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલા કામોનું CM રુપાણી લોકાર્પણ કરશે.
CM રૂપાણી AMCના કામોનું કરશે લોકાર્પણ
વસ્ત્રાપુર તળાવમાં શરુ થશે બોટિંગ
8 હજાર 275 નવા આવાસોનું ખાત મુહૂર્ત પણ કરવામાં આવશે
851 કરોડના વિકાસકામોનું કરશે લોકાર્પણ
AMC દ્વારા સમગ્ર અમદાવાદમાં વિવિધ વિકાસના કામો કરવામાં આવેલા છે જેને આવતીકાલથી સામાન્ય જનતા માટે ખુલ્લા મુકવામાં આવશે. CM રૂપાણી 851 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરશે.
SVP હોસ્પિટલમાં બનેલી NHLકોલેજનું લોકાર્પણ
SVP હોસ્પિટલ અમદાવાદમાં વીએસ હોસ્પિટલ નજીક આવેલી SVP હોસ્પિટલમાં નવી નિર્માણ પામેલ NHL કોલેજનું લોકાર્પણ કરવામાં આવશે તથા 1 હજાર 300 મીટર લાંબા RCC રોડનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે.
વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદાના નીરના વધામણા
વસ્ત્રાપુર તળાવ અમદાવાદના જાણીતા સ્થળોમાંથી એક છે ત્યારે વસ્ત્રાપુર તળાવની અંદર નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રુપાણી અહીં નર્મદાના નીરના વધામણા કરશે. વસ્ત્રાપુર તળાવમાં નર્મદાનું પાણી ભરવાથી તળાવ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. અહી તળાવની અંદર બોટિંગ પણ શરુ કરવાની યોજના છે. વસ્ત્રાપુર તળાવમાં બોટિંગ શરુ થવાથી શહેરના નાગરિકો માટે આ સ્થળનું હરવા ફરવાના સ્થળ તરીકે વિકસિત કરી શક્ય તેમ છે અને આગામી સમયમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ અહી એકઠા થાય તેવી આશા સરકાર તરફથી રાખવામાં આવી રહી છે.
2 હજાર 482 નવા બનેલા આવાસોનું લોકાર્પણ
વિજય રુપાણી અમદાવાદના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે ત્યારે શહેરમાં નવા બનેલા આવાસનું લોકાર્પણ કરવામાં આવશે તથા 8 275 આવાસ નવા આવાસો બનાવવા માટે ખાતમુહુર્ત કરવામાં આવશે.
અમદાવાદમાં વસ્તીવધારાની સાથે શહેરના કચરાનો નિકાલ પણ શહેર માટે એક મોટો પ્રશ્ન બનીને રહે છે ત્યારે શહેરના ઘન કચરાના મેનેજમેન્ટ માટે પિકર મશીનના ઉદ્ઘાટનની પણ યોજના છે.