પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપીક 24મેથી રીલીઝ થઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અભિનેતા વિવેક ઓબેરોયે સાથે બેસીને ફિલ્મ નિહાળી હતી. આ ફિલ્મના નિર્માણને લઈ રૂપાણીએ જણાવ્યુ હતું કે આ ફિલ્મ પ્રધાનમંત્રીના જીવન સફરને કેમેરામાં કંડારી છે.
જેથી નવી પેઢી પ્રધાનમંત્રીની જીવન યાત્રાથી પરિચીત થશે. આ સાથે સાથે મુખ્યમંત્રી રૂપાણીએ 23મેના દિવસે ફરી નરેન્દ્ર મોદીની સરકાર બનશે તેવું પણ આહવાન કર્યુ હતું.
ગુજરાતમાં ઠેર-ઠેર થયું છે ફિલ્મનું શુટિંગ
આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર વિવેક ઓબેરોય નિભાવી રહ્યા છે. આ ફિલ્મ પર છેલ્લા 2 વર્ષથી કામ ચાલી રહ્યું હતું. ત્યારે આજથી અમદાવાદ ખાતે ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ આ ફિલ્મનું શૂટિંગ થયું છે.
આપને જણાવી દઇએ કે અમદાવાદમાં ફિલ્મના કેટલાક દ્રશ્યોનું અમદાવાદમાં શૂટિંગ થયાં બાદ કચ્છમાં પણ થયું છે. જ્યાં આ ફિલ્મનું શૂટિંગ કચ્છની ઓળખ સમાન પ્રાગમહેલમાં થયું છે. ઘણા વર્ષ બાદ કોઇ ફિલ્મનું શુટિંગ કચ્છમાં થઇ રહ્યું હોઇ સ્થાનિકોના ટોળા પ્રાગમહેલ ખાતે ઉમટી પડ્યા હતા.