રાજ્યમાં પાણીની સ્થિતિ વિકટ બની રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાણીની સ્થિતિને લઈને કચ્છની મુલાકાત લીધી હતી. ત્યારે કચ્છમાં મુખ્યમંત્રી રૂપાણીએ લોકો સાથે મુલાકાત કરી હતી.
એક તરફ ઉનાળો આકળો થઈ રહ્યો છે. ત્યારે કચ્છમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. તો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છની એક દિવસની મુલાકાત લીધી હતી. જ્યા તેઓ નારાયણ સરોવરના કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. અહીં દર્શન કરીને અછતગ્રસ્ત કચ્છમાં ઘાસચારા અને પાણીની સમીક્ષા કરી હતી.
સમગ્ર કાર્યક્રમ
- કોટેશ્વર મહાદેવના દર્શન
- ગ્રામજનો સાથે સંવાદ
- કેટલ કેમ્પ-ઢોરવાડાની મુલાકાત
- લખપત તાલુકાના નારાયણ સરોવર ખાતે મુલાકાત
- ધોરડો ખાતે ગ્રામજનો સાથે વાર્તાલાપ
CM રૂપાણી કચ્છમાં શું કામ ?
- કચ્છમાં પાણીની સમસ્યા વિકટ
- સરહદી વિસ્તારમાં પિવાના પાણી નથી મળી રહ્યાં, લખપત, ઘોરડો,
- કચ્છમાં સિઝનનો માત્ર 5 ઇંચ વરસાદ
- 300 જેટલા ગામડાઓમાં પિવાનું પાણી નથી મળી રહ્યું
- કચ્છમાં માલધારીઓની મોટા પ્રમાણમાં હિજરત, સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાતમાં લઇ રહ્યાં છે આશરો
- કચ્છ જિલ્લામાં પાણીના વ્યવસ્થાપનનો અભાવ
- કચ્છના તમામ જળાશયો, ડેમ ખાલી સ્થિતિમાં
- કચ્છમાં નર્મદાની કેનાલ સિવાય નથી અન્ય કોઇ વિકલ્પ
- ગૌશાળાઓમાં પિવાના પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા
આ દરમિયાન સીએમ રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, દુષ્કાળનો હવે એકજ મહીનો બાકી છે. અછત જાન્યુઆરીમાં જાહેર થાય છે જ્યારે અમે સપ્ટેબરમાં અછત જાહેરાત કરી હતી. અમારુ ફોકસ કચ્છ પર હતું. સીએમ રૂપાણીએ વધુમાં કહ્યું કે, સરકાર ડિસેલીનેશન માટે આગળ વધી રહી છે. જેમાં દરિયાનું ખારું પાણી મીઠું બનાવાશે.
મહત્વનું છે કે, કચ્છના અનેક વિસ્તારો એવા છે જ્યાં પીવાનું પાણી નથી મળી રહ્યું જેને લઈને લખપત તાલુકાના અધિકારીઓ સાથે બાઠેક યોજી અછતરાહત કાર્યો અંગે માર્ગગર્શન આપશે.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં હાલ ૪૮૧ ઢોરવાડામાં ર લાખ ૮પ હજાર પશુઓનો નિભાવ થઈ રહ્યો છે. રરપ ઘાસડેપો અંતર્ગત ૧ લાખ ૧૭ હજાર ઘાસ કાર્ડધારકોના કુલ ૩ લાખ ૯૦ હજાર પશુઓને આવરી લેવાયા છે. જિલ્લાને ગત વર્ષની તુલનાએ રોજનું વધુ ૧૦ કરોડ લીટર પાણી પુરૂં પાડવામાં આવે છે. નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા ટપ્પર ડેમને માર્ચ-ર૦૧૯ સુધીમાં ૧ર૦૦ MCFT ભરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી તેમના એક દિવસીય કચ્છ પ્રવાસમાં જિલ્લાની અછતની સ્થિતિના સામના માટે રાજ્ય સરકારના વ્યાપક આયોજનની સમીક્ષા કરશે.