પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 ઓક્ટોબરના રોજ કેવડિયા કોલોની ખાતે આવનારા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ પીએમ મોદીના કાર્યક્રમ અંગેની સમીક્ષા કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી વિવિધ પ્રોજેક્ટોના ચાલી રહેલા કામોનું પણ નિરીક્ષણ કરશે.
CM વિજય રૂપાણી આજે કેવડિયાની મુલાકાતે
PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંગે સમીક્ષા કરશે
સીએમ રૂપામી વિવિધ પ્રોજેક્ટના કામોનું નિરીક્ષણ કરશે
CM રૂપાણી આજે કેવડિયાની મુલાકાતે
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કેવડિયાની મુલાકાત લેશે. જ્યાં સીએમ રૂપાણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 31 ઓક્ટોબરેના કાર્યક્રમો અંગેની સમીક્ષા કરશે. આ ઉપરાંત સીએમ રૂપાણી ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટોના કામોનું નિરીક્ષણ કરશે. સરદાર પટેલ જયંતીના દિવસે પીએમ નરેન્દ્ર મોદી નર્મદાના કેવડિયા કોલોની આવી રહ્યાં છે. આમ CM રૂપાણી પીએમના પ્રવાસને લઇને ચાલી રહેલી તૈયારીઓનું નિરક્ષણ કરશે.
સીએમ વિજય રૂપાણીના કાર્યક્રમની વિગત
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ નર્મદાના કેવડિયા કોલીની ખાતે વિવિધ કાર્યોનું નિરીક્ષણ કરશે. જેમાં સીએમ રૂપાણી સરદાર સરોવર રીસોર્ટ, એકતા દ્વાર, આરોગ્ય વનની મુલાકાત, ખલવાણી ઇકો ટૂરિઝમ સાઇટની મુલાકાત લેશે. આ સાથે સીએમ રૂપાણી જંગલ સફારી, SOU હેલિપેડ રીવ્યુ, વેલી ઓફ ફલાવર, ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્ક તેમજ મિરર મેજની મુલાકાત લેશે. આ ઉપરાંત સીએમ રૂપાણી ગ્લોવ ગાર્ડન, વિશ્વ વન, કેકટસ ગાર્ડનની પણ મુલાકાતે જશે.
PM મોદી 31 ઓક્ટોબરના રોજ કેવડિયાની મુલાકાતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 ઓક્ટોબરના રોજ નર્મદા ખાતેના કેવડિયા કોલોનીની મુલાકાતે આવશે. પીએમ મોદીની મુલાકાતને લઇને કેવડિયામાં તૈયારીઓ પૂર્ણતાના આરે છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરશે. સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી કેવડિયા કોલોની ખાતે કરાશે.