ખેડૂત હંમેશા લાચાર બનીને રહી જાય છે. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારે વરસાદની અછત. ક્યારેક નીલગાયનો ત્રાસ તો ક્યારેક જંગલી પ્રાણીનો ડર. ક્યારેક ભૂંડ તો ક્યારેક તીડ. આ તમામ સંકટો વચ્ચે ખેડૂત પોતાના પાકને બચાવવા માટે મથતો રહે છે. આ વર્ષે ખેડૂત ખાતર માટે વલખા મારી રહ્યો છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ ખોટા મુદ્દા ઉઠાવી રહી છેઃ CM
ખાતર મુદ્દે જાતે તપાસ કરીશઃ CM
ખાતર ન મળતા ખેડૂતોને પરેશાની
હાલમાં રવિ પાકની સીઝન ચાલી રહી છે. ત્યારે હવે ખેડૂતોને ખાતર ન મળતા પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને ખાતર ન મળવાના કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્યમાં યુરિયા ખાતરની અછત હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે. ત્યારે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ખાતરની અછત નથી. કોંગ્રેસ ખોટા મુદ્દા ઉઠાવી રહી છે. અને રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે આ મામલે તપાસ પણ કરાવવામાં આવશે અને હું જાતે તપાસ કરીશ. સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે.
ખાતર ન મળતા ખેડૂતોને પરેશાની
આણંદ અને અરવલ્લીમાં પાકનું વાવેતર કરવા માટે ખેડૂતો ખાતર લેવા માટે પહોંચ્યા હતા. જોકે ખાતરની અછત જોવા મળી હતી. આણંદમાં તમાકું, ઘઉ જેવા પાક માટે ખેડૂતોને યુરિયાની જરૂરત હોય છે. ત્યારે ખેડૂતો ખાતર લેવા પહોંચતા તેમણે મૂળ જરૂરિયાત સામે માત્ર બે થેલી યુરિયાનું વિતરણ કરવામાં આવ્યુ. તો બીજી તરફ અરવલ્લીમાં પણ આ પ્રકારની ખેડૂતોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લીમાં સૌથી વધુ ઘઉનું વાવેતર થાય છે. ખેડૂતો દ્વારા અત્યાર સુધી બે વખત પાણી આપવામાં આવ્યુ છે. ત્યારે ખેડૂતો ખાતર લેવા માટે પહોંચતા પુરતા પ્રમાણમાં ખાતર ન મળતા પરેશાનીનો સામનો કરવો પડ્યો. જો આગામી સમયમાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતર ન આપવામાં આવે તો પાક નિષ્ફળ જવાની શક્યતા છે.