મુખ્યમંત્રી વિજય રુપાણીએ ડ્રેગન ફ્રુટના નામ બદલવા પર નિવેદન આપ્યું છે. સીએમ રુપાણીએ કહ્યું કે ડ્રેગન ફ્રુટના આકાર કમળ જેવો છે, તેથી તેનું નામ કમલમ રખાયું છે. આ મુદ્દે રાજકારણ ન થવું જોઇએ.
ડ્રેગન ફ્રુટના નામ બદલવા પર CM રૂપાણીનું નિવેદન
ડ્રેગન ફ્રુટનો આકાર કમળ જેવો, તેથી તેનું નામ કમલમ રખાયું
આ મુદ્દે રાજકારણ ન થવું જોઇએ
હાલમાં થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા ડ્રેગન ફ્રુટનું નામ બદલવાને લઇને તીખી પ્રતિક્રિયાઓ સામે આવી હતી. જેને લઇને આજરોજ CM રુપાણી દ્વારા પલટવાર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી રુપાણીએ ડ્રેગન ફ્રુટના નામ બદલવા પર નિવેદન આપતા કહ્યું કે ડ્રેગન ફ્રુટનો આકાર કમળ જેવો હોય તેનું નામ કમલમ રખાયું છે. આ મુદ્દે રાજકારણ ન થવું જોઇએ.
આ પહેલા કોરોના વેક્સિન મુદ્દે મુખ્યમંત્રી વિજય રુપાણીએ નિવેદન આપ્યું હતું. જેમાં સીએમ રુપાણીએ કહ્યું કે વેક્સિન પર પ્રથમ અધિકાર હેલ્થવર્કર્સનો છે. બીજા રાઉન્ડમાં અમે વેક્સિન લઇશું.
શું છે સમગ્ર મામલો
ગાંધીનગર ખાતે યોજેલ એક પત્રકાર પરિષદ દરમિયાન સરકારે પણ ડ્રેગન ફૂડને કમલમ્ નામ આપી દીધું હતું અને તેને પેટર્ન માટે અરજી પણ કરી છે. આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. પરંતુ તેનું ડ્રેગન ફ્રૂટ નામ શોભતું નહીં હોવાનું સરકાર માને છે. તેથી હવેથી આ ફ્રુટને કમલમ અથવા કમલમ્ ફ્રુટનું નામ આપવાની જાહેરાત મુખ્ય મંત્રી રૂપાણીએ કરી હતી.
ડ્રેગન ફ્રુટને કમલમ નામ આપવા પર કોંગ્રેસે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, સરકાર નામકરણ કરવામાં વ્યસ્ત છે. આ સાથે જ એવું પણ કહ્યું હતું કે, હવે કોઈ મુદ્દો નથી એટલે ફ્રુટના નામકરણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
CM વિજય રૂપાણી જાહેર કરી હોર્ટિકલચર પોલિસી
CM વિજય રૂપાણી આજે ગુજરાતની 2021થી 2025 સુધીની હોર્ટિકલચર પોલિસી જાહેર કરી હતી. CM રૂપાણીએ રાજ્ય ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અને આ પ્રસંગે તેમણે બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી હતી. CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, સમગ્ર રાજ્યમાં 50 હજાર એકર બંજર જમીનને ખેતી લાયક બનાવી તેમાં બાગાયતી અને ઔષદ્યિય પકો લેવા લાયક બનાવવામાં આવશે. જેથી જમીન વધશે. રાજ્યમાં બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન આપી ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં પગલા લેવાઈ રહ્યા છે.
CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, ૩૦ વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે લીઝ પર અપાશે. ભાડાપટ્ટાની જમીન માટે પ્રથમ પાંચ વર્ષ સુધી કોઇ રેન્ટ-ભાડુ નહિ લેવાય. પારદર્શી પદ્ધતિએ જમીન ફાળવણી માટે જમીનના બ્લોકની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર જાહેર થશે. પ્રોજેકટ માટે લીઝ ધારકોને આધુનિક ટેકનોલોજીયુકત ડ્રીપ-સ્પ્રીન્કલર-ફુવારા પદ્ધતિ માટે પ્રવર્તમાન ધોરણો મુજબ પ્રાયોરિટીમાં સહાય અપાશે.
આ જિલ્લામાં ખાસ યોજાનાઓ
CM રૂપાણીએ ખાસ કરીને રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પિયત પાણી આપવાની યોજનાની સફળતાને પરિણામે આ વિસ્તારોની બિન ઉપજાઉ જમીનોને પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ-ઝાડની વાડીમાં પરિવર્તીત કરવામાં આવી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, હવે રાજ્ય સરકારે આ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર પડતર સરકારી જમીનોમાં પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી બાગાયતી ઔષધિય પાક સમૃદ્ધિ દ્વારા નવઘડતર અને ખેડૂતોની આવક બમણી કરવા, રોજગારસર્જન વધારવા આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની પહેલ કરી છે.
૩૦ વર્ષની લીઝ-ભાડાપટ્ટે ફાળવવામાં આવશે
મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનનો પ્રથમ તબક્કે રાજ્યના પાંચ જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અમલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. આ મિશન અન્વયે બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલા વિસ્તારો અને સરવે નંબરની અંદાજે ર૦ હજાર હેકટર જમીન ફકત આવા પાક વાવેતર માટે ૩૦ વર્ષની લીઝ-ભાડાપટ્ટે ફાળવવામાં આવશે. આના પરિણામે, બિન ઉપજાઉ સરકારી પડતર જમીનોનો યોગ્ય ઉપયોગ કરીને ફળ-ફૂલ, શાકભાજી, મસાલા તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવા પ્રોત્સાહન મળશે.