રાજકોટઃ અમદાવાદથી મુંબઈ જતી દુરંતો એસપ્રેસ રાજકોટ સુધી લંબાવવાનો રેલવે મંત્રીએ આદેશ આપ્યો છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી દુરંતો એક્સપ્રેસની રાજકોટ સુધી લંબાનારી સેવાને લીલીઝંડી આપશે.
આ કાર્યક્રમ દરમિયાન રાજકોટના મેયક ડોક્ટર જૈમનભાઈ ઉપાધ્યાય તથા સાંસદ મોહનભાઈ કુંડારીયા સહીત રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
દુરંતો એક્સપ્રેસ લંબાવ્યા બાદ હવે ટ્રેન નં. 12268 રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ રાજકોટ સ્ટેશનથી દરરોજ સાજે 7.05 કલાકે પ્રસ્થાન કરશે. ત્યાર બાદ આ ટ્રેન આગામી દિવસે સવારે 6 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. અને 12267 દુરંતો એકસપ્રેસ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી દરરોજ રાત્રે 11.25 વાગે નિકળશે.
ત્યાર બાદ બીજા દિવસે 10.55 વાગે રાજકોટ પહોંચશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી ટુ ટાયર એસી તથા થ્રી ટાયરના કોચ ગોઠવવામાં આવ્યા છે.
આ ટ્રેન મુસાફરી દરમિયાન બન્ને દિશાઓમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર પર રોકાણ કરશે. મહત્વનું છે કે એસી દુરંતો એક્સપ્રેસનું મુંબઇ સેન્ટ્રલ-રાજકોટનું બુકીંગ પણ આજથી શરૂ કરી દેવાશે. મુસાફરો માટે ટ્રેન સેવાનું રીઝર્વેશન કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પરથી બુકીંગ થઇ શકશે.