માવઠાને લઈને રાજ્ય સરકાર દ્વારા પેકેજની જાહેરાત કરાઈ છે. ત્યારે હવે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યુ છે કે, છેલ્લા 40 વર્ષમાં માવઠાની સહાય કરતા આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા વધુ પેકેજ જાહેર કરાયું છે.
પાક વીમા માટે સરકાર 100 ટકા મદદરૂપ થશે
વીમા કંપની પર દબાણ કરવા સરકાર પ્રયત્નશીલ છે
પાક વીમો વધુને વધુ ખેડૂતોને મળે તેવી કામગીરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાકવીમા પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છેકે પાક વીમાનો મુદ્દો અલગ છે. પાક વીમા માટે રાજ્ય સરકાર 100 ટકા મદદરૂપ થશે.
સીએમ રૂપાણીએ કહ્યું કે વીમા કંપનીઓને પર દબાણ કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે. પાક વીમા વધુને વધુ ખેડૂતોને મળે તે માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પાક વીમો નુકસાન પ્રમાણે તેવા સરકાર પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છેકે થોડા દિવસ અગાઉ ડે. સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો સર્વે વહેલી તકે પૂર્ણ કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. જ્યારે વીમા કંપનીઓ સાથે પણ સરકાર સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું.