તૌકતે વાવાઝોડાની અસર પહેલા ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં ગોઠવાઈ વ્યવસ્થા, CMએ કહ્યું કે, તમામ પ્રકારની વ્યવસ્થા અસરગ્રસ્ત વિસ્તારોમાં કરી દેવાઈ છે
વાવાઝોડાની સંભવિત સ્થિતિ માટે ગુજરાત તૈયાર
CM રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિ અંગે આપી જાણકારી
કંટ્રોલરૂમથી સતત વાવાઝોડા પર નજર રાખીએ છીએઃ CM
ગુજરાતના દરિયાકાંઠા તૌકેતના સંકટના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંદેશો આપ્યો હતો. CMએ કહ્યું કે, તમામ પ્રકારની વ્યવસ્થા અસરગ્રસ્ત વિસ્તારોમાં કરી દેવાઈ છે. મેડિકલ સુવિધા અંગે પણ અગાઉથી તૈયારીઓ કરી દેવાઈ છે. તમામ દરિયાઈ વિસ્તારના કલેક્ટરોને સતર્ક કરી દેવાયા છે. અને સૂચના આપી દેવાઈ છે. સાથે દરિયામાં માછીમારી કરવા ગયેલા તમામ માછીમારોને પણ જમીન પર બોલાવી લેવાશે.
કેન્દ્ર તરફથી 24 NDRFની ટીમ ગુજરાત પહોંચી ગઈ છે. સાથે ગુજરાતની 10 જેટલી ઈમરજન્સી ટીમને પણ જે તે સ્થળ પર મોકલી દેવાઈ છે. તેમની સાથે ફોરેસ્ટ વિભાગને પણ કાર્યરત કરી દેવાયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જો વાવાઝોડાની અસરથી ઝાડ પડવા અને રસ્તા રોકાવવાની સ્થિતિને પહોંચી વળવા માટે વનવિભાગના અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે.
વાવાઝોડાની સંભવિત સ્થિતિ માટે ગુજરાત તૈયાર
CM રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિ અંગે આપી જાણકારી
કંટ્રોલરૂમથી સતત વાવાઝોડા પર નજર રાખીએ છીએઃ CM
એકપણ વ્યક્તિ જીવ ન ગુમાવે તે રીતે તૈયારીઓ કરી
દરીયાઈ વિસ્તારોમાં કલેક્ટરનું તંત્ર કામે લાગ્યુ છે
જિલ્લા વહિવટી તંત્ર સાથે સતત સંકલન કરીએ છીએ
સંભવિત સ્થિતિને ધ્યાને રાખીને વ્યવસ્થાઓ કરી
કોરોનાના ગંભીર દર્દીઓને ધ્યાને રાખીને વ્યવસ્થા
વાવાઝોડાના પવનની ગતિ સમગ્ર રાજ્યને અસર કરશે
વીજ પુરવઠો કપાઈ જતા દર્દીઓને અગવડ ન થાય તેવી વ્યવસ્થા
વેન્ટિલેટર પરના દર્દીઓને શિફ્ટ કરવાની સુચના કરી
તમામ હોસ્પિટલમાં એડવાન્સ લાઈટ સપોર્ટ સિસ્ટમની તૈયારી
તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈ વાયુસેના ગુજરાતની મદદે આવી પહોંચી છે. વાયુસેનાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ગુજરાત પહોંચી ગયા છે. વાયુ સેનાની મદદથી NDRFની ટીમ જામનગર પહોંચી છે. NDRFના 278 જવાનોને જામનગર અને રાજકોટ લવાયા છે. જેમની સાથે રેસ્ક્યુ માટેના તમામ સાધનો વાયુસેનાના એરક્રાફટમાં પણ લવાયા છે. ભુવનેશ્વર અને ભટીંડાથી NDRFની ટુકડીઓ ગુજરાત પહોંચી ચૂકી છે.
સુરત ફાયર બ્રિગેડ દ્વારા પણ આગોતરી તૈયારી હાથ ધરી
સમગ્ર રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો અસર વર્તાઇ રહી છે ત્યારે સુરત ફાયર બ્રિગેડ દ્વારા પણ આગોતરી તૈયારી હાથ ધરી છે અને કુલ 16 ટિમો બનાવી જુદા જુદા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે, ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિને પહોંચીવવા તમામ ટિમો સાધનોથી સજ્જ કરવામાં આવી છે. એક તરફ કોરોના લહેર યથાવત છે ત્યાં હવે તૌકતે વાવાઝોડાનો ખતરો ઘેરાઇ રહ્યો છે. તૌકતે વાવાઝોડાના પગલે સુરત શહેરમાં ફાયર તંત્ર એલર્ટ થઈ ગયું છે. જોકે ફાયર તંત્ર 16 ટીમ તૈયાર કરીને સાધનો સાથે સજ્જ છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે એક ફાયર ફાયરની ટીમમાં 6 ફાયર જવાનો લાઈફ જેકેટ, રીંગ બોયા, ઝાડ કાપવાના મશીનો સહિતના સાધનો સાથે તહેનાત કરવામાં આવ્યા છે. જોકે આ ટીમ આજથી ત્રણેક દિવસ સુધી એલર્ટ રહેશે. આ સાથે ઈમરજન્સી કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.