વીટીવી દ્વારા મહાલોકતંત્રની મહાપરિષદનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ પરિષદની શરૂઆતમાં સીએમ રૂપાણી હાજર રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના સામ પિત્રોડાના સવાલ પર CM રૂપાણી એવું બોલ્યા કે હાજર લોકો હસવા લાગ્યા હતા. જુઓ આ વીડિયો...
વીટીવી દ્વારા મહાલોકતંત્રની મહાપરિષદનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ પરિષદની શરૂઆતમાં સીએમ રૂપાણી હાજર રહ્યા હતા. આ દરમિયાન સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે. ગુજરાતની જનતા બીજા કોઈને પ્રધાનમંત્રી ઈચ્છતી જ નથી.
ત્યાર બાદ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, કોંગ્રેસ અત્યાર સુધી આતંવાદીઓને છાવર્યા છે. હવે પણ કોંગ્રેસ આ પ્રકારનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ ઉપરાંત તેમણે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા નેતાઓ પર પ્રતિક્રિયા આપી હતી કે, કોંગ્રેસના નેતાઓને તેમના હાઈકમાન્ડ પર ભરોસો નથી. જેથી તેઓ ભાજપમાં જોડાય છે.
સીએમ રૂપાણીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ન હતા ત્યાં સુધી પાકિસ્તાનમાં આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પ હતા. દાઉદથી માંડીને ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનને આશરો બનાવતા હતા. આ બધુ જાણવા છતા કોઇએ કેમ કડક પગલા ન લીધા. પાકિસ્તાન વિરૂદ્ધ પ્રધાનમંત્રી મોદીએ પ્રેસર કર્યું. અલગ અલગ કડક નિર્ણયો લીધા. આ બધા પગલા લેવાના કારણે પાકિસ્તાન દાજે ભરાયું છે. પરંતુ કમનસીબે સામ પિત્રોડા, અય્યર, સિદ્ધુના પરાક્રમો અને નિવેદનો આ બધી વસ્તુમાં પાકિસ્તાન અને કોંગ્રેસ બન્ને એક પાર્ટી હોય તેવું છે. વડાપ્રધાન મોદી પીએમ બને તે પાકિસ્તાનને ન જ ગમે. હારે તો ત્યા ફટાકડા ફૂટે.
ત્યારે કોંગ્રેસના સામ પિત્રોડાના સવાલ પર CM રૂપાણી એવું બોલ્યા કે હાજર લોકો હસવા લાગ્યા હતા. જુઓ આ વીડિયો...