નિવેદન / મોહન ભાગવત સાથે મુલાકાત બાદ CM રૂપાણીની પેટાચૂંટણી મુદ્દે પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- આઠેય બેઠક જીતીશું

CM Vijay rupani statement on Gujarat by elections 2020 BJP Congress

પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ગુજરાત પેટાચૂંટણીમાં કુલ 58.14% મતદાન નોંધાયું છે. રાજ્યના તમામ 8 બેઠકો પર ઉમેદવારના ભાવી EVMમાં કેદ થયા છે. છેલ્લા કલાકોમાં પણ મતદારોમાં સામાન્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત વિધાનસભાની પેટા ચૂંટણી કરતા ઓછું મતદાન થયું છે. 10 નવેમ્બરે પેટાચૂંટણીના પરિણામો જાહેર થશે. ત્યારે હવે પેટાચૂંટણી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, 'ભાજપ આઠેય બેઠકો પર જીતશે, કોંગ્રેસ હાર ભાળી ગઇ છે, કોંગ્રેસે લગાવેલા આક્ષેપો પાયાવિહોણા છે.' મહત્વનું છે કે, અમદાવાદમાં ડૉ. હેડગેવાર ભવનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ