મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અમદાવાદ શહેરની મુલાકાતે છે. મુખ્યમંત્રી રૂપાણી શહેરમાં સિંચાઇ યોજનાનો પ્રારંભ કરાવશે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરાયેલાં પાણીનો હવે સિંચાઇ માટે ઉપયોગ કરાશે.
CM રૂપાણી અમદાવાદમાં સિંચાઇ યોજનાનો કરાવશે પ્રારંભ
સુએઝ શુદ્વિકરણ થયેલા પાણી સિંચાઇ માટે ઉપયોગ કરાશે
વાસણા બેરેજમાંથી શુદ્વ કરાયેલ પાણી ફતેવાડી કેનાલમાં છોડાશે
ખેડૂતો દ્વારા સરકારને ખેતી માટે પાણીને લઇને કરાયેલી રજૂઆતને લઇને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ જિલ્લાના દસક્રોઇ, સાણંદ, બાવળા તાલુકાના ગામડાઓને પાણી મળી રહે તેને લઇને એક નવી પહેલ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી સિંચાઇ યોજનાનો પ્રારંભ કરાવામાં આવશે. જેમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરાયેલા પાણીનો હવે સિંચાઇ માટે પણ ઉપયોગ કરવામાં આવશે.
શહેરના વાસણા બેરેજમાંથી શુદ્ધ કરાયેલ પાણી ફતેવાડી કેનાલમાં છોડાશે. કેનાલ દ્વારા જિલ્લાના દસક્રોઇ, સાણંદ, બાવળા તાલુકાના ગામડાઓને પાણી મળશે.
આમ ખેડૂતોની રજૂઆતોને ધ્યાને રાખી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્વ થયેલું પાણી 12 હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઇ માટે ઉપલબ્ધ કરાવામાં આવશે. ત્યારે સરકારની આ રીયૂઝ ઓફ વેસ્ટ વોટરની નવી પહેલ છે.