રાજ્યસભાની 2 બેઠક માટે મતદાન યોજાયું છે. ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે, આ ચૂંટણીમાં અમારા ઉમેદવાર એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની જીત નિશ્ચિત છે. કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી. જેના કારણે ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. ભાજપને પોતાના તમામ ઉમેદવારો પર વિશ્વાસ છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, આ ચૂંટણીમાં BTPના છોટુ વસાવા અને NCPના કાંધલ જાડેજાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ત્યાર બાદ તેમણે બજેટ પર પ્રતિક્રિયા આપી છે કે, આ બજેટથી ભારતના વિકાસની ગતિ તેજ થશે.