અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મીં રથયાત્રા નિકળી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદવિધી કર્યા બાદ રથયાત્રાની શરૂઆત કરાવી હતી. આ પહિંદવિધીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં.
ડે. સીએમ નીતિન પટેલે પણ પહિંદવિધી કરી. 142મીં રથયાત્રામાં 100 ટ્રક, 30 અખાડા, 18 હાથી, 3 રાસ મંડળી, 18 ભજન મંડળી, 1 ઘોડાગાડી, 5 બેન્ડવાજા જોડાયા છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું પરંપરાગત રીતે સીએમ તરીકે પહિંદવિધી કરી છે. રથયાત્રાની શરૂઆત થઇ છે તેમ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે.
ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નિકળ્યાં છે. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. મંગળાઆરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.
ભગવાન જગન્નાથને 'નંદીઘોષ' નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, તો બહેન સુભદ્રાને 'કલ્પધ્વજ' નામના રથમાં વિદ્યમાન કરાયા છે, સાથે જ ભાઈ બળભદ્રને 'તાલધ્વજ' નામના રથમાં બેસાડવામાં આવ્યા છે.
આજે ભગવનાન જગન્નાથની 142મી રથયાત્રા છે ત્યારે વહેલી સવારે નાથની મંગળા આરતી કરવામાં આવી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા અને મંગળા આરતીનો લ્હાવો લીધો. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે આજરોજ સવારે અમીછાંટણા થતાં ભકતો ઝુમી ઉઠ્યા હતા.