સીએમ વિજય રૂપાણીએ સુષમા સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. સીએમ રૂપાણીએ સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે, તેઓ મને સતત માર્ગદર્શન આપતા હતા અને વિદેશ મંત્રી તરીકે દુનિયામાં ભારતની છબિ ઉભી કરી હતી. અટલજીની જેમ સુષમાજીનો પણ પ્રભાવ હતો.