મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જુનાગઢના પ્રવાસે છે ત્યારે ઓક્સિજનને લઈને કોંગ્રેસના આક્ષેપને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.
રાજ્યમાં ઓક્સિજનની અછતથી મૃત્યુના આક્ષેપનો મામલો
CM રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
રાજ્યમાં ઓક્સિજનની અછતથી કોઈ મૃત્યુ નથી થયા-CM
સંસદના રાજ્યસભા ગૃહમાં કેન્દ્ર સરકારે ઓક્સિજનની અછતથી દેશમાં એકપણ મોત નથી થયાંના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે અને વિપક્ષે સરકાર પર શાબ્દિક પ્રહાર શરૂ કર્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના આક્ષેપને વખોડતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને જ આડેહાથ લીધી હતી.
ગુજરાતમાં ઓક્સિજનની અછતથી એકપણ મોત નહીં : CM રૂપાણી
રાજ્યમાં ઓક્સિજનથી અછતથી થયેલા મૃત્યુના આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે ખોટા પ્રહાર કરે છે. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓક્જિનની અછતથી કોઇ મૃત્યુ થયાં નથી.
પ્રાથમિક શાળાઓ શરૂ કરવાને લઈને પણ આપ્યું નિવેદન
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણી કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરાશે.
કેન્દ્રની ગાઈડલાઈન બાદ નિર્ણય લેવાનું CM રૂપાણીએ આપ્યું નિવેદન
હાલની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ અંગે અભિપ્રાય લઇશું. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
મંગળવારે રાજ્યમાં કોરોનાનાં નવા 29 કેસ નોંધાયા છે. જો કે ગઇકાલની સરખામણીએ કોરોનાના નવા 5 કેસનો વધારો થયો છે.
કોરોનાથી આજે એક પણ દર્દીનું મૃત્યુ નહીં
બીજી તરફ રાજ્યમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી જેને લઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે આ તરફ એક જ દિવસમાં 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10 હજાર 76 લોકોને કોરોના ભરખી ગયો છે. જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 411 દર્દી સારવાર હેઠળ છે. જો કે નાજુક સ્થિતિના કારણે 5 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે જ્યારે 406 દર્દીની હાલત સ્થિર જણાઈ રહી છે
રાજ્યમાં 24 કલાકમાં 61 દર્દી સ્વસ્થ થયા
રાજ્યના મોટા શહેરમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પરતું હજુ પણ સંભવિત ત્રીજી લહેરનો ખતરો જોવાઈ રહ્યો છે. હાલ મહાનગરોમાં પણ કોરોનાની રફતાર ધીમી પડી છે. અમદાવાદમાં 6, સુરતમાં 4 અને વડોદરામાં 7 કેસ નવા કેસ નોંધાયા છે...તો રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.