ગીર સોમનાથમાં CM રૂપાણીએ કોરોના વેક્સિન અંગે મહત્વની વાત જણાવી હતી. અહીં સૂર્યોદય યોજનાના લોકાર્પણ માટે સીએમ રૂપાણી આવ્યા હતા.
કોરોના વેક્સિનની મંજૂરી પર CM રૂપાણીનું નિવેદન
DCGIએ 2 વેક્સિનને મંજૂરી આપી છે: CM
કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ વેક્સિનેશન શરૂ કરીશું: CM
ગીર સોમનાથના ઉના ખાતે CM રૂપાણી દ્વારા કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. મંત્રી સૌરભ પટેલ, જવાહર ચાવડા અને સ્થાનિક સાંસદ હાજર રહ્યાં હતા. જેમાં તેમણે કોરોના વેક્સિન અંગે પણ અગત્યનું નિવેદન આપ્યું હતુ.
કોરોના વેક્સિનની મંજૂરી પર CM રૂપાણીનું નિવેદન
DCGIએ 2 વેક્સિનને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ વેક્સિનેશન શરૂ કરીશું. 4 તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. તમામ સર્વે પૂર્ણ,ચાર તબક્કાના લીસ્ટ પણ તૈયાર છે. વેક્સિન આવ્યા બાદ તાત્કાલિક વેક્સિનેશન શરૂ થશે. પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર,ડોક્ટર,નર્સ ને રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં કોરોનાકાળમાં કામ કરનાર કર્મીઓને વેક્સિન મળશે અને ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉમરના વ્યક્તિઓને રસી આપવામાં આવશે. ચોથા તબક્કામાં ગંભીર બિમારીવાળા 50 વર્ષથી ઓછી ઉમરવાળા રસી મળશે.