સુરતમાં કોરોના કેસના આંકડામાં ફરક વિશે એક પત્રકારના સવાલના જવાબમાં CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મને ખબર નથી. ત્યારે હવે મુખ્યમંત્રીના આ જવાબને લઈ આજે ટ્વિટર પર #મને_ખબર_નથી ટ્રેન્ડિગ થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહેલા #મને_ખબર_નથી પર કોંગ્રેસનો કટાક્ષ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સવાલો પૂછ્યા
ગુજરાતની સ્થિતિ વિશે 8 સવાલો કર્યા અને લખ્યું #મને_ખબર_નથી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં પત્રકાર પરિષદ કરી હતી ત્યારે સવાલ કરાયો હતો કે સુરત મહાનગર પાલિકા અને આરોગ્ય વિભાગના આંકડામાં કેમ ફરક આવે છે. ત્યારે રૂપાણીએ કહ્યું હતુ કે મને ખબર નથી. બસ આ વાક્યને હાલ સોશિયલ મીડિયામાં ખુબ ટ્રેન્ડ મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પણ આ તકનો લાભ લઈને ટ્વીટ કરીને મુખ્યમંત્રીને 8 સવાલો કર્યા હતા. હાલ ગુજરાતમાં મને ખબર નથી તેવુ વાક્ય સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે.
CM રૂપાણીના એક જાહેર જવાબ પર કોંગ્રેસે 8 સવાલ કર્યા
સુરતમાં કોરોનાથી મૃત્યુ વિશેના સવાલ પર CM રૂપાણી બોલ્યા હતા #મને_ખબર_નથી. ત્યારે મુખ્યમંત્રીના જાહેર જવાબ પછી કટાક્ષમાં કોંગ્રેસ પ્રમુખે સવાલ પૂછ્યા હતા.
ત્યારે સોશિયલ મીડિયામાં હાલ સીએમ વિજય રૂપાણીના આ જવાબને લઈ લોકો મીમ્સ બનાવી રહ્યા છે. હાલ ટ્વિટર પર મને ખબર નથી ટ્રેન્ડ થવા લાગ્યું છે. જે બાદ લોકોએ સરકારી નોકરી, વિકાસ સહિતનાં અનેક મુદ્દાઓને લઈ સવાલ પુછ્યા.