અમદાવાદ ખાતે નવરાત્રી મહોત્સવ-2019નો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. નવરાત્રી પર્વ શક્તિ ઉપાસનાના પર્વ સાથે નારીશક્તિના ગૌરવ સન્માનનો પણ ઉમંગ પર્વ છે.
અમદાવાદમાં CM રૂપાણીએ ગરબાનો પ્રારંભ કરાવ્યો
અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નવરાત્રી મહોત્સવ-2019નો શુભારંભ કરાવ્યો હતો. શહેરના GMCDC ગ્રાઉન્ડ ખાતેના ગરબા કાર્યક્રમની વરસાદની આગાહી વચ્ચે શરૂઆત કરાવી હતી. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે.
આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય અને આરાધાનાનું લોક પર્વ
શક્તિની ભક્તિ અને નારી સ્વરૂપા દેવીઓની આરાધનાનું આ પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય અને આરાધાનાનું લોક પર્વ છે. ગુજરાતે વિશ્વના આ સૌથી લાંબા નૃત્ય ઉત્સવ સાથે સાહસિક રમતો હસ્ત કલાકારી ગીરીના હાજ બજાર અને ખાનપાન વ્યંજન જોડીને આ મહોત્સવને એક હોલિસ્ટિક કલ્ચર ફેસ્ટિવલ બનાવ્યો છે. ગરબો ગુજરાતની બ્રાન્ડ ઇમેજ બની ગયો છે.
વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં નવરાત્રીનો પ્રારંભ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં નવરાત્રિ મહોત્સવની રંગચંગે શરૂઆત થઇ ગઇ છે. ગઇકાલે પહેલા નોરતા પર કેટલીક જગ્યા પર વરસાદના વિધ્ન વચ્ચે ખેલૈયાઓ રાસગરબાની રમઝટ બોલાવતાં જોવા મળ્યાં હતા. રાજ્યમાં વરસાદે કોઇક જગ્યાએ ખૈલયાઓને ગરબા ગાવા દીધાં તો કોઇ જગ્યાએ વિધ્ન બનતાં ગરબા રદ્દ કરવાની ફરજ પડી.